________________
૧૧૦
જૈન સાહિત્ય સમારોહ-મુછ ૪ ભાવ ધરાવનાર અન્યના ઘેષોને, ત્રુટિઓને જુએ છે અને સમતાભાવથી, હિતબુદ્ધિથી તે દૂર કરવા પ્રયત્ન કરે છે. અને તેમાં સફળતા ન મળે તો તેથી અશાંત થતા નથી.
માધ્યસ્થ ભાવના ઢાલ જેવી છે. તે પોતાના આત્માનું રક્ષણ કરે છે. દુર્ભાવ અને રાગદ્વેષના પ્રસંગે સમતા ટકી રહેવી એ ઘણો મોટો લાભ છે. સાંસારિક દૃષ્ટિએ પણ માધ્યસ્થ ભાવના ઉભય પક્ષે લાભકર્તા છે. “અપૂર્વ અવસરમાં શ્રીમદ્ રાજચ માધ્યસ્થ ભાવનાનો આદર્શ યથાર્થ રૂપ વર્ણવતાં લખ્યું છે :
શત્રુમિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહિ ચુનાધિકતા, ભવ-મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org