Book Title: Jain Sahitya Samaroha Guchha 4
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 132
________________ હેમચંદ્રાચાર્યકુત “યોગશાસ્ત્રમાં બ્રહ્મચર્યની વિભાવના - પન્નાલાલ ૨. શાહ શ્રીમદ્ રાજચંદ્ર બ્રહ્મચર્ય વિશે નીચેની સચોટ પંક્તિઓ લખી છે : નીરખીને નવયૌવના લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. * * * એક વિષયને જીતતાં જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતીએ દળ, પૂર ને અધિકાર. વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી છાકે જ્યમ અજ્ઞાન. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા બ્રહ્મચર્ય મતિ માન. જૈન ધર્મમાં બ્રહ્મચર્યની બે વ્યાખ્યાઓ મળે છે. પહેલી વ્યાખ્યા વિશાળ અને સંપૂર્ણ છે. એ પ્રમાણે બ્રહ્મચર્ય એટલે જીવનસ્પર્શી સંપૂર્ણ સંયમ. આ સંયમમાં માત્ર પાપવૃત્તિઓ ઉપર અંકુશ મૂકવાનો સમાવેશ થતો નથી : જૈન પરિભાષામાં એમ કહી શકાય કે માત્ર આસવ-નિરોધનો જ સમાવેશ થતો નથી, પરંતુ તેવા સંપૂર્ણ સંયમમાં શ્રદ્ધા, જ્ઞાન, ક્ષમાદિ સ્વાભાવિક સદુવૃત્તિઓના વિકાસનો સુધ્ધાં સમાવેશ થાય છે. એટલે આ વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે કામ, ક્રોધાદિ, અસદુવૃત્તિને જીવનમાં ઉદ્ભવતી અટકાવવી અને શ્રદ્ધા, ચેતના, નિર્ભયતા આદિ સદુવૃત્તિઓને જીવનમાં પ્રગટાવવી અને તેમાં તન્મય થવું. આવી વ્યાપક અને અર્થપૂર્ણ વ્યાખ્યામાં જૈન વિચારધારામાં બ્રહ્મચર્યની વિભાવના સ્પષ્ટ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155