Book Title: Jain Sahitya Samaroha Guchha 4
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 129
________________ ૧૦. જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ જન આધાર સાર કરે મન સમરી; ફણિપતિ મંડિત પાસ પ્રતિમા મસ્તક ધરણી, હર્ષસાગર કહે હરખશું પદ્માવતી પૂજો સુખ કરણી. સોળ સતીનો છંદ : જૈન અને જૈતત્તર સાહિત્યમાં સતીઓના સતીત્વ અને શીલરક્ષણ અંગેની ચરિત્રાત્મક માહિતી સુપ્રસિદ્ધ છે. જૈન સાહિત્યમાં પણ સતીઓના પવિત્ર નામનું સ્મરણ જીવનમાં સદવિચારોનું સિંચન કરે છે. આ સતીઓના નામને છંદરચનામાં સ્થાન આપવામાં આવ્યું છે. મુનિ ઉદયરત્ન સોળ સતીના છંદની ઝૂલણા છંદનો પ્રયોગ કરીને ૧૭ ગાથામાં રચના કરીને દરેક સતીના જીવનની લાક્ષણિકતા દર્શાવી છે. સોળ સતીઓનાં જીવન અત્યંત પવિત્ર છે. તેનો મિતાક્ષરી ઉલ્લેખ થયેલો છે. કવિએ આદિનાથ અને અન્ય ભગવાનની સ્તુતિ કરીને સોળ સતીના છંદનો પ્રારંભ કર્યો છે. આ સતીઓનાં નામ બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, ધારિણી, રાજિમતી, દ્રૌપદી, કૌશલ્યા, મૃગાવતી, સુલસા, સીતા, સુભદ્રા, કુતા, પમિની, દમયંતી, પુષ્પચૂલા, પ્રભાવતી વગેરે છે. કવિના શબ્દમાં સુલતાનો પરિચય નીચે મુજબ આપવામાં આવ્યો છે. “સુલ સાચી શિયલેન કાચી રાચી નહી વિકયા રસમાં મુખડું જતાં પાપ પલાએ નામ લેતા મન ઉલ્લએ.” સતીના નામસ્મરણનું ફળ દર્શાવતાં કવિ જણાવે છે કે, “વીરે ભાખી શાસ્ત્ર શાખી ઉદયરત્ન ભાખે મુદાએ વહાણું વાતા જે નર ભણસે તે લહેસે સુખ સંપદાએ.”૧૭ આ રચનામાં કવિની વર્ણયોજનાથી કાવ્યશક્તિનો પરિચય આપે છે. શ્રી માણિભદ્ર વીરનો છંદઃ જૈન શાસનમાં વીતરાગ કે અરિહંતની પૂજાભક્તિને સર્વોત્તમ કક્ષાની ગણવામાં આવી છે. તેમ છતાં ઐહિક સુખસંપત્તિની અપેક્ષાથી વીતરાગ સિવાય અન્ય દેવદેવીઓનું ભક્તિનું પ્રમાણ વધતું જાય છે. મણિભદ્રવીરની ઉપાસના ઘણા મોટા પ્રમાણમાં થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155