________________
પટ
૫૮ _.
_જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ (૭) બે પ્રકારનાં ગોત્ર કર્મથી રહિત (૮) પાંચ પ્રકારનાં અંતરાય કર્મથી રહિત આમ કુલ ૩૧ પ્રકારનાં કર્મથી રહિત હોવાથી ૩૧ ગુણ થાય છે.
સિદ્ધ ભગવંતના એકત્રીસ ગુણ અન્ય રીતે પણ ગણાવવામાં આવે છે. સિદ્ધ ભગવંતોમાં નીચેના એકત્રીસ પદાર્થો કે લક્ષણો નથી હોતાં. તેનાથી રહિતપણું તે તેમના ગુણ તરીકે દર્શાવાય છે. આ એકત્રીસ વસ્તુ નીચે પ્રમાણે.
૧. પાંચ પ્રકારનાં સંસ્થાન (૧. વાટલું, ૨. ત્રિપુણ, ૩. ચોખુણ, ૪. લાંબું, ૫. પરિમંડલ).
૨. પાંચ વર્ણ (૧. શ્રેત, ૨ લીલો, ૩ પીળો, ૪. રાતો, ૫. કાળો) ૩. બે પ્રકારની ગંધ (સુગંધ અને દુર્ગધ). ૪. પાંચ રસ (૧. ખાટો, ૨ ખારો, ૩. તીખો, ૪. તૂરો, ૫. મધુર)
૫. આઠ સ્પર્શ (૧. ટાઢો, ૨. ઊનો, ૩. લૂખો ૪. ચોપડો, ૫. હળવો ૬. ભારે, ૭. સુંવાળો, ૮. બરછટ).
૬. એક શરીર - કાયયોગ ૭. ત્રણ વેદ (સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ) ૮. એક પદાર્થ (પદાર્થસંગ).
૯. એક પુનર્જન્મ (ફરીથી જન્મ લેવો તે) - આમ કુલ એકત્રીસ વસ્તુથી રહિત હોવાથી પ્રગટતા તે એકત્રીસ ગુણ આ રીતે પણ ગણાવવામાં આવે છે ?
આઠ પ્રકારનાં કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મો ઘાતી કર્મો છે અને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર અદાલતી કર્મો છે.
ચાર ઘાતી કર્મો આત્માનો ઘાત કરનારાં છે. ઘાતી કર્મોનો ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રગટે છે. અરિહંત પરમાત્મા ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રગટ થતાં તીર્થ પ્રવર્તાવે છે. એમને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર કર્મોનો ક્ષય કરવાનો બાકી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org