________________
સિદ્ધ પરમાત્મા
–– – – – – – – – – – – – તે વિશે આગમ સૂત્રોમાં સ્પષ્ટ વિધાનો છે. ઉ. ત., ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે :
जीवेण भन्ते । सिज्झमाणे कायरंमि आउए सिज्झइ ? गोयमा ।
जहन्नेणं साइरेगट्ठवासाए उक्कोसेणं पुव्वकोडियाउए सिज्झइ ।।
ભિગવનું ! જીવ કેટલા આયુષ્યમાં સિદ્ધમુક્ત થઈ શકે છે ? ગૌતમ! જઘન્ય આઠ વર્ષથી અધિક આયુષ્યમાં અને ઉત્કૃષ્ટ કરોડ પૂર્વના આયુષ્યમાં જીવ સિદ્ધ થઈ શકે છે.]
“સિદ્ધપ્રાભૃત”, “સિદ્ધપંચાશિકા', “નવતત્ત્વપ્રકરણ” વગેરે ગ્રંથોમાં સિદ્ધપદની આઠ દ્વારે, નવ દ્વારે અને પંદર દ્વારે એમ ભિન્ન ભિન્ન દૃષ્ટિએ પ્રરૂપણા કરવામાં આવી છે. આઠ દ્વાર આ પ્રમાણે છે : (૧) સતું પદ (૨) દ્રવ્ય પ્રમાણ, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાળ, (૬) અંતર, (૭) ભાવ, (૮) અલ્પબદુત્વ. આ આઠ દ્વારમાં ભાગદ્વાર ઉમેરી નવ દ્વારે વિચારણા કરવામાં આવે છે. સિદ્ધપદની પંદર દ્વારે પ્રરૂપણા આ પ્રમાણે કરવામાં આવે છે : (૧) ક્ષેત્ર, (૨) કાળ, (૩) ગતિ, (૪) વેદ, (૫) તીર્થ, (૬) લિંગ, (૭) ચારિત્ર, (૮) બુદ્ધ, (૯) જ્ઞાન, (૧૦) અવગાહના, (૧૧) ઉત્કર્ષ, (૧૨) અંતર, (૧૩) અનુસમય, (૧૪) ગણના અને (૧૫) અલ્પબદુત્વ.
આ પંદર દ્વારમાંથી કેટલીક મહત્ત્વની વિગતો નીચે પ્રમાણે આપવામાં આવી છે. (વધુ વિગતો માટે “સિદ્ધપ્રાભૃત”, “સિદ્ધ પંચાશિકા' વગેરે ગ્રંથો જોવા.)
જુદા જુદા પ્રકારના સિદ્ધની અપેક્ષાએ એક સમયમાં વધુમાં વધુ કેટલા સિદ્ધ થાય ? એ માટે નીચે પ્રમાણે બતાવવામાં આવે છે :
(૧) તીર્થંકરના શાસનકાળ દરમિયાન અર્થાત્ તીર્થની પ્રવૃત્તિમાં એક “સમયમાં વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય.
(૨) તીર્થના વિચ્છેદના કાળમાં એક સમયમાં વધુમાં વધુ ૧૦ સિદ્ધ થાય.
(૩) એક સમયમાં વધુમાં વધુ ૨૦ તીર્થકરી સિદ્ધ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org