________________
જેન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ * – – – – – – – – – ––
શૂન્ય એ મૂળ (બીજ) છે અને શુન્ય એ ફળ છે. અહીં શૂન્ય એટલે શુન્યત્વ અર્થાતુ પરમાત્મ તત્ત્વ. મૂળમાં સત્તાગત આપણામાં જ રહેલા આપણા પરમાત્મતત્ત્વનું આપણે પ્રગટીકરણ કરવાનું છે. સ્કૂલમાંથી સૂક્ષ્યમાં થઈ શૂન્યમાં જવાનું છે. અહીં શુન્ય એટલે પદાર્થ-દ્રવ્યનો અભાવ નહિ પરંતુ પરસ્પર વિરુદ્ધ પદાર્થની અસરનો અભાવ, કોઈને બાધા પહોંચાડે નહિ અને કોઈથી બાધા પામે નહિ તેવી અવ્યાબાધ અવસ્થા તે શૂન્યાવસ્થા. એ અવસ્થાનો સંકેત ઉપરોક્ત ગણિત-ચમત્કારમાં છે. એટલું જ નહિ પણ ગણિતમાં શૂન્યની અવસ્થા એવી જ છે. શુન્યને કોઈ રકમમાં ઉમેરો કે કોઈ રકમમાંથી બાદ કરો, યા તો કોઈ રકમ વડે તેને ગુણો કે ભાગો તો તે રકમ અકબંધ રહેશે. કોઈ અસર તે રકમને થશે નહિ. તેમ શુન્ય પણ શુન્ય જ રહેશે. આમ ગણિત-ચમત્કાર પણ અધ્યાત્મ તરફ દોરી જાય છે.
ઉપરાંત અરિહંત ભગવંતનો રંગ શ્વેત છે, સિદ્ધ ભગવંતનો રંગ રક્ત (લાલ) છે. આચાર્ય ભગવંતનો રંગ પીત્ત (પીળો) છે, ઉપાધ્યાય ભગવંતનો રંગ હરિત (લીલો) છે, અને સાધુ ભગવંતનો રંગ શ્યામ (કાળો) છે.
પંચપરમેષ્ઠીના પાંચ રંગોની જે કલ્પના કરી છે, તે કેટલી યથાયોગ્ય છે, તેનો વિચાર કરીએ......
પંચપરમેષ્ઠી જેમ જપનો વિષય છે તેમ પરમાર્થથી ધ્યાનનો વિષય છે. ધ્યાન સાધનાનાં અનેક કેન્દ્રો અને ભેદો છે. તેમાં આપણા શરીરની રચનામાં મુખ્ય તાળવું છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે હાડકાનો ભાગ પુરાયેલો હોતો નથી અને તે કોમળ હોય છે. એ જ સહસદલ કમલનું કેન્દ્ર છે કે જેમાં પરમાત્મપદની સ્થાપના છે. ત્યાંથી નીચે ઊતરતાં છ ચક્રમાંનું છઠું ચક્ર કે જેને “આજ્ઞાચક્ર' કહેવામાં આવે છે તેનું સ્થાન બે નેણ વચ્ચે રહેલ ભૂકુટિ છે તે ગુરુનું સ્થાન છે અને ગુરુપદને સાધીએ તો જ તેમના દ્વારા “પરમાત્મદેવનું મિલન થાય છે એટલે સુખાસને બેસીને ચિત્તને સ્થિર કરીને, ચક્ષુ બંધ કરીને તે ભૂકુટિસ્થાનમાં ઇચ્છા અને વિચારને સ્થગિત કરી દઈને, ત્યાં શું બંધ આંખે દેખાય છે તે દ્રષ્ટા બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org