________________
સ્વરૂપ મંત્ર_. જોયા કરવું, ધ્યાન કરવું તે અનેક પ્રકારના ધ્યાનના ભેદોમાં મહત્ત્વનો ઊંચો ભેદ છે, કારણ કે પરમાત્મતત્ત્વ પૂર્ણ જ્ઞાતા અને દ્રષ્ટા છે. માટે સાધકે પણ કર્તા-ભોક્તા મટીને એટલે કે ઇચ્છા અને વિચારને છોડીને દશ્યથી જુદાં પાડવા માટે દૃશ્યને જોતાં શીખવું જોઈએ. પરંતુ ઇચ્છા અને વિચારથી દશ્ય સાથે ભળવું ન જોઈએ. આ રીતે આજ્ઞાચક્રમાં માનસિક ત્રાટક કરી ધ્યાન કરવાનું શરૂ કરીશું એટલે પહેલાં કાળું ધબ દેખાશે ને એ પ્રમાણે સતત દર્શન કરવાથી તે કૃષ્ણવર્ણમાં તૂટફૂટ થશે અને ક્રમિક વિકાસ પ્રમાણે નીલવર્ણ જેવું દેખાશે. આગળ તે દર્શનને દૃઢ કરતાં કરતાં વણતર થયા જ કરશે અને પરિણામે પરમ ઉજ્વલ, પરમ તેજસ્વી શ્વેત વર્ણ દેખાશે. આવો આ સાધનાનો પ્રયોગ છે.
હવે કયા સાધકે પૂર્વભવમાં કેવી સાધના કરી હોય અને ક્યાં સુધી પહોંઓ હોય તે કહેવું અશક્ય છે. તેથી તેની સાધના જ્યાં અધૂરી રહી હોય ત્યાંથી શરૂ થાય એટલે ગમે તે વર્ણ દેખાય. વળી સાધનામાં જો ચઢઊતર થાય તો તે પ્રમાણે પણ વર્ણાતર થાય. પરંતુ આ વર્ણદર્શનનો સાર એ છે કે સાધ એ નિર્ણય કરવો કે જ્યારે જે વર્ણ દેખાય ત્યારે તે પદનું અજપાજાપરૂપે ધ્યાન થઈ રહ્યું છે. એ રીતે સતત અભ્યાસ કરી સાધકે આગળ વધવું અને અનુભવ કરવો. આ હકીકતની વાતો કરવાથી કાંઈ ન વળ પણ પ્રયોગ કરવાથી મળે.
અહીં પ્રશ્ન એ ઉભવે કે પંચપરમેષ્ઠીના વર્ણમાં, સિદ્ધ પરમાત્મા અશરીરી હોવાથી તેમના બીજી અપેક્ષાએ જે ૩૧ ગુણો વર્ણવ્યા છે એમાં અવર્ણ, અગંધ, અરસ આદિ ગુણો કહેલ છે, તો સિદ્ધ ભગવંતમાં લાલ વર્ણ કેમ આરોપાય ? સાધકને ઉપર જણાવેલ પ્રયોગની અપેક્ષાએ વર્ણન કરવામાં આવેલ છે. જેમ સૂર્યોદય વેળાએ જેને ઉષા કહેવામાં આવે છે તે વખતે સૂર્યનો વર્ણ રક્ત હોય છે જે પછી શ્રેત બને છે તે પ્રમાણે સાધકને ધ્યાનની પ્રક્રિયામાં દર્શન થાય છે. જેવી રીતે પંચપરમેષ્ઠીના પાંચ વર્ણો છે તેવી જ રીતે ચોવીસ તીર્થંકર ભગવંતો પણ પંચ વર્ષમાં વહેંચાયેલા છે.
દોય રાતા જિનવર અતિ ભલા,
* દોય ધોળા જિનવર ગુણનીલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org