________________
૪૨ –
– – – – – – – – –
_જૈન સાહિત્ય સમારોહ-ગુછ ૪ અને ઇચ્છાને સુધારવાના છે અસદુ થયેલ છે. વિનાશી (સાદિ સાત્ત) બનેલ છે તેને સદુ-અવિનાશી બનાવવાના છે. સદ્ ઇચ્છા રાખી, સદ્ગદ્ધિ વાપરી, સ૬ વર્તન આચરી, સત્ એવા અવિનાશી પરમાત્મામાં શ્રદ્ધાવિશ્વાસ રાખી, તેમનાં આદર, બહુમાન, સન્માન, વંદન, પૂજન કરવા સહ, સ્વયં પરમાત્મા બનવાનું છે અને આત્માના ચાર શુદ્ધ સ્વરૂપગુણ દર્શન (કેવલદર્શન), જ્ઞાન (કેવલજ્ઞાન), ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર સહજાનંદ સ્વરૂપ), તપ (પૂર્ણકામ) છે; તેનું પ્રાગટ્ય અશુદ્ધિ-કર્મપડળ હઠાવીને કરવાનું છે. તે માટે શ્રદ્ધા-બુદ્ધિ-શ્રમ અને ઇચ્છાને પરમાત્મતત્ત્વ સાથે જોડવાના છે અને મોક્ષ લક્ષ્ય સમ્યગુ બનાવવાના છે. ત્યારબાદ દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર એ પાંચ આચાર-પંચાચારનું પાલન કરવાનું છે. માટે જ પંચપરમેષ્ઠી નમસ્કાર મહામંત્રના જાપ કરવાના છે અને સિદ્ધચક્ર યંત્રની નવપદજીની આરાધના કરવાની છે.
નવપદજીની ઓળી જે ચૈત્ર સુદ સાતમથી ચૈત્ર સુદિ પૂનમ અને આસો સુદિ સાતમથી આસો સુદિ પૂનમ દરમિયાન વર્ષમાં બે વાર આવે છે ત્યારે આયંબિલનું તપ કરવા સહ વિશિષ્ટ રીતે એકેક પદની, એકેક દિવસ આરાધના કરવા દ્વારા નવપદજીની આરાધના થાય છે. આ આરાધના પર્વને શાશ્વતી ઓળી, શાશ્વતી અઠ્ઠાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે.
એ નવપદની આરાધના, પૂજન દરમિયાન નીચે મુજબની ભાવના ભાવી શકાય....
અરિહંત એવો હું અરિહંત બનવા માટે, અરિહંત ભગવંતો કે જેઓએ પોતાના અત્યંત વિશુદ્ધ એવા, સાકાર પરમાત્મ સ્વરૂપનું પ્રગટીકરણ કર્યું છે અને વર્તમાને તીર્થકર સ્વરૂપે વિહરમાન છે, તે સર્વ અરિહંત ભગવંતો તથા પૂર્વે થયેલા અને હવે થનાર સર્વ અરિહંત ભગવંતોનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્ર યંત્ર દ્વારા કરતો થકો; તેના ફળ સ્વરૂપ અરિહંતપણાનો નાશ અને અરિહંતપદની પ્રાપ્તિને હું ઇચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! // ૩ૐ નમો મરિહંતi ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org