Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૮] ઇતિહાસની પૂર્વભૂમિકા
[પ્ર. મહેજો-દડેમાંના આરૂઢ હડપ્પીય વરૂપમાં મુખ્ય હતા. થોડા સમય પછી મધ્યમ-કપાલ આલ્પાઈન સમૂહ પણ સિંધુખીણમાં આવી વસ્યો હતે. હડપ્પાના ઉત્તર હડપ્પીય તબક્કાના સ્મશાન માં આલ્પાઈન વંશ (મધ્યમ-કપાલ કે હ્રસ્વ-કપાલ)ની સારા પ્રમાણમાં વસ્તી હતી. હડપ્પા અને મોહે જે-દડોમાં આ ઉપરાંત હૃવ-કપાલ તત્વ પણ જોવામાં આવ્યું છે, પરંતુ એ બહુ ખેંધપાત્ર નથી.
લેથલમાંથી મળેલાં ચારે દીર્ઘ-કપાલ (સરેરાશ કપાલ-અંક ૮૫.૪૪) કાલ નાં છે, જ્યારે માત્ર એક હૂરવ-કપાલ કાલ સા માંથી આવે છે. 'ઉપલબ્ધ પુરાવા ઉપરથી નિર્ણય ઉપર આવી શકાય કે આરૂઢ હડપ્પીય તબક્કામાં દીધ–કપાલ અને હૂ-કપાલ એ બેઉ સમૂહ અસ્તિત્વ ધરાવતા હતા. વધારે પ્રભુત્વ ધરાવતા પહેલા સમૂહને સિયાલ્કના દીર્ધ–કપાલે (સમૂહ ૨) તરીકે ઓળખવામાં આવ્યો છે અને પછીના સમૂહને સિયાલક ૬ ને સ્વ-કપાલ (સમૂહ ૪) તરીકે. વલ્લેઈસના મત પ્રમાણે સિયાલકને સમૂહ ૨ આર્ય પ્રજાને છે. આ પરિભાષા જે લેથલમાંના દીર્ઘ-કપાલને લાગુ પાડવામાં આવે તો એવું ફલિત થાય છે કે કાલ ૩ માં લેથલમાંની મોટા ભાગની વસ્તી આર્ય હતી. લોથલમાં નાના એસ્ટ્રોલોઈડ તત્ત્વની સાથે સાથે ઠીક ઠીક સંખ્યામાં આર્મેનોઇડ વસ્તી પણ હતી. જેમની ભાષા વિશે આપણને કશી માહિતી નથી તેવા આ નૃવંશીય સમહેને “આર્ય” કે “દ્રવિડ” એવી ભાષાકીય પરિભાષા લાગુ કરવાનું ઈષ્ટ નથી, પણ આપણને આ પરિભાષાને ઉલ્લેખ કરવાની ફરજ પડે છે, કારણ કે ગોર્ડન ચાઈદ આદિ પહેલાંના લેખકોએ પશ્ચિમ એશિયામાંથી મળેલાં સાધનને આધારે સિંધુખીણ ઉપરના આર્ય આક્રમણના પિતાના સિદ્ધાંતની માંડણી કરી છે. અહીં બતાવવું જરૂરી છે કે સિંધુ સામ્રાજ્યની વસ્તી બિલકુલ સમવિધ નહોતી અને પંજાબ સિંધ અને ગુજરાતની હાલની વસ્તી હડપ્પા, મોહેજો-દડે અને લોથલની પ્રાચીન વસ્તીથી શારીરિક લક્ષણોમાં જુદી પડતી નથી.
છે. સરકારના જણાવ્યા પ્રમાણે, કપાલ અંક ૭રવાળા સિંધુખીણના દીર્ધ–કપાલ કે કાલ ૧ અને ૨ (ઈ. પૂ. ૩૭૦૦-૨૫૦૦) ના તેપે હિસારના લેકેને વિસ્તાર છે. ગ્રિયર્સનના જણાવ્યા પ્રમાણે, ભારત-આર્ય લેકનાં બે મજા બે ભિન્ન સમયે ભારતવર્ષમાં આવ્યાં. વહેલા આવેલા મેજાએ પંજાબ રોકડ્યું અને એ દક્ષિણ તરફ સિંધુનાં મેદાનમાં, અને કદાચ સૌરાષ્ટ્રમાં પણ, આગળ વધ્યું, જ્યારે પછીના આ જે પણ ઉત્તરમાંથી જ આવેલા, તેઓને વહેલા આવી વસેલા આર્યોની સાથે અથડામણમાં આવવું પડ્યું. સપ્તસિંધુના પ્રદેશમાં પ્રવેશ કરતી વેળા અદના આને લાગ્યું કે વહેલા આવેલા આર્યો દેશજ પ્રજા સાથે છૂટથી