________________
પડશક
[ વ્યાખ્યાન
પણ “પાપથી ન વિરમે તે પણ પાપ બંધાય” એવું માનનાર તે જૈન દર્શનકાર જ છે. “પ્રતિજ્ઞા ન કરે તે બંધાય જ” એવું માનનારે જૈનમત છે, અને તેવા સ્વરૂપે પાપ માનનારો ઈતર દર્શનકાર નથી. પાપની જેમ પુણયમાં તો વાંધો નથી ને ? તે દુનિયાએ જે પુણ્યબંધન માન્યું છે તે શામાં ? વઝપાત્રાદિના દાનમાં, પણ આશ્રવના રોકાણને લઈ યોગની શુભતા, તેને લીધે પુણ્ય બંધાય એવી માન્યતા કોઇની નથી. એવી માન્યતા માત્ર જૈન દર્શનની છે.
સંવર, નિર્જરા આપણે શુદ્ધ ચારિત્રના પાલનથી વૈમાનિકપણું યાવત પાંચ અનુત્તરવાસી બની શકાય છે. સર્વ સંવરવાળા પોગમાં ઊંચામાં ઉચ્ચપણું મનાયું છે. જે સંવરને ન માને તે પછી ઊંચામાં ઉચ્ચપણું રહે જ ક્યાંથી ? જ્ઞાની ત્રણ ગુપ્તિવાળો-એટલે મન, વચન અને કાયાના રક્ષણવાળા એ જ્ઞાની-ક્ષણમાં સાગરોપમનાં પાપ ખપાવે છે,” એવી નિર્જરાની વાત કોણ માને ? કહે કે એવી નિજ રાની માન્યતા અન્યાની નથી.
જૈનદર્શનને મેક્ષ શંકા–ભલે તે ન હોય, પણ મેક્ષની માન્યતા તો છે ને ? સ્કાય જેવા રસ્તે પણ મૂળ ધ્યેયે તો આવ્યો ને ? એટલે મોક્ષ નકકી છે, પશુ સંવર નિરા ગમે તે રીતનાં માને તેથી શું વાંધે ? મુખ્ય ધ્યેય સાચું હોય તે બસ ? સમાધાન-આટલા માટે કહે છે કેમોક્ષનું ધ્યેય માન્યું પણ બીજાઓએ મોક્ષ કે માન્ય છે? જેમાં જ્ઞાન-દર્શન, વીર્ય કે સુખ અનંતાં હોય તેવે મેક્ષ કોઈએ માન્ય નથી. આત્માનાં જન્મ-મરણ ન થાય તેવી રીતને મોક્ષ ઈતરોએ માન્યો છે. પણ સર્વ કાળ અક્ષય અને અવ્યાબાધ હવા સાથે અનંત ઋદ્ધિસિદ્ધિનો ધણી જેમાં થાય, તે મેક્ષ કોઈએ માન્ય નથી. અને તેથી કહેવું પડે છે કે “રાવ મોક્ષ”