Book Title: Dhandhero Athva Gurumantra
Author(s): Sagranandsuri
Publisher: Ratanchand Shankarlal Shah

View full book text
Previous | Next

Page 375
________________ ૮૮ પડશક [ વ્યાખ્યાન વાવડી કરતા જુએ તેથી તેઓ રેતીના પણ બનાવે છે પણ ફળને ન જ વિચારે. કારણું બાળકને પોતાની પ્રવૃત્તિનું શું ફળ થશે તે વિચારવાનું હેતું નથી. અનરામ એટલે ફળને નિશ્ચય કરી પ્રવૃત્તિ કરે તે સદારંભ. પણ તેવી પ્રાપ્તિ જેની ન હોય તે બાળકે સમજવા. તેવા બાળકો હેવાથી તે ગુરુની પરીક્ષા કરવામાં ત્યાગને દેખે, એટલે સંયોગિક સ્થિતિ જુએ, તેના બે પ્રકાર, એટલે વેશ અને બાહ્ય વર્તન દેખે. વેશ જોઈ જે ગુરુ કે ધર્મને માનનારા હતા તેને અંગે કહી ગયા કે-આ બહારનું લિંગ તે અસાર છે. લિંગ બાહ્ય ચીજ છે, અસાર છે. તે કેવી રીતે ? આ વાત બે પ્રકારે છે. એટલે ધર્મ હોય ત્યાં બાહ્ય લિંગ હોય કે બાહ્ય લિંગ હેય ત્યાં ધમ હોય ? તે કહે છે કે ધર્મ હોય ત્યાં બાહ્ય લિંગ હેય, પણ બાહ્ય લિંગ હેય ત્યાં ધમ હેય એ નિયમ નહિ. ધૂમાડે હેાય ત્યાં અગ્નિ હોય એ નિયમ ખરો પણ અગ્નિ હોય ત્યાં ધૂમાડે હેય એ નિયમ નહિ, જેમ અયોગેલક. તેમ અહિં બાહ્ય લિંગ કે ત્યાગની સાથે (સંગિક સ્થિતિની સાથે ) ધર્મને પ્રતિબંધ નથી. જો કે ધર્મના કે દેવ, ગુરુની સાથે બાહ્યનો પ્રતિબંધ છે. નહિ તો વગર ત્યાગીને પણ ગુરુ માનવા પડે. બાહ્ય હથિયારવાળાને પણ દેવ માનવા પડે અને આરંભ પરિગ્રહવાળાને પણ ગુરુ માનવા પડે, પણ અહિં બાહ્ય વર્તન તો જોઈએ. તેથી સ્ત્રી હથિયાર છે તેને દેવ માનવાનું કહેતા નથી અને તે ન હોય તેથી દેવપણું આવી જાય એમ નથી, પણ જ્યાં દેવપણું હેય ત્યાં સ્ત્ર, હથિયાર કે માળા હેય જ નહિ. આરંભ પરિગ્રહ ન હોય તેથી ગુરુ માની લેવા એમ નહિ. પણ જ્યાં જયાં ગુરુપણું હોય ત્યાં આરંભ–પરિગ્રહ ન જ હોય. તેવી જ રીતે ધર્મને અંગે પણું આરંભ–પરિગ્રહને અભાવ હોય ત્યાં જ ધમ હેય એમ નહિ, પણ ધર્મ ત્યાં આરંભપરિગ્રહ ન જ હોય. કહે કે આવશ્યક ક્રિયા, તપ, કાત્સર્ગ આદિન અંગે ગુરુપણને પ્રતિબંધ નથી પણ જ્યાં ગુરુપણું છે ત્યાં

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394