________________
S
નવમું ]
સદુધમપરીક્ષક એ છીએ અને પંચમહાવ્રતધારીને જ સાધુ માનીએ છીએ, પણ કદાચ ઢીંગલા પંથીમાં કે બીજા કોઈ દર્શનમાં જન્મ પામ્યા હોત તો તે જ માનત. પણ આપણને જૈન ગુરુ મળ્યા એટલે જ શુ દેવાદિને માનવા લાગ્યા. અહિં સર્વના કારણે ગુરુ છે. તેથી મુનિસુન્દરસૂરિજી જણાવે છે કે-સર્વે કરવામાં ગુરુતત્વ જ મુખ્ય છે, આમ કહીને દેવતત્વને હલકું કહે છે અગર અપમાન કરે છે ને ? તે હલકું પાડવા ગુરુતત્વને મુખ્ય નથી કહેતા પણ હિતના અથ થવું, હિતનાં જે કાર્યો તે ગુરુમહારાજના વચનથી જ સધાય. તેમના વચન સિવાય હિતકાર્ય કરી શકીએ જ નહિ, સાંભળીને જ જાણી શકીએ છીએ. અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ પણું આદિ સર્વ વાન ગુરુમહારાજના મુખથી સાંભળીને જ જાણી શકીએ. સાંભળ્યા સિવાય જાણવાનો હક્ક તીર્થંકર સિવાય બીજાને છે નહીં. તીર્થકરમાં સ્વયં જાણવાનું ન લઈએ તો સ્વયંસંબુદ કહેવાય નહિ. તીર્થકરે તો સ્વયંબુદ્ધ હોવાથી તેમને ગુરુ ન હોય. શાસ્ત્રકાર કહે છે કે-ગુઓ વગર જાણી શકાય નહિ પણ ગુરુ એટલે કુળગુરુ, વિદ્યાગુરુ આદિ નહિ પણ જે મોક્ષમાર્ગ પ્રવર્તાવે, આત્મકલયાણમાં મગ્ન, પાપથી દૂર રહેલા તેવા ગુણના ભંડાર તે જ ગુરુઓ હોય. જગતમાં અંધકાર હોય તો વસ્તુને જોવા આંખ કારણ છે. પણ દીવા શવાય દેખી શકાતું નથી તેમ ધર્મના પ્રતિબોધ કે દેવતત્ત્વને પ્રતિબોધ પણ ગુરુઠારા જ મળે છે. તેમના વિના જણાય જ નહિ. આ કારણથી ભગવાન હરિભકસૂરિજી બાળક, મધ્યમબુદ્ધિ અને બુધ માટે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્વને સમજાવતા હતા પણ છેવટે ધર્મ કે દેવની પરીક્ષાનું સાધન ન જણાવ્યું પણ ગુરુની પરીક્ષાનું સાધન જણાવ્યું, તેના ત્રણ ભાગો છે. કોઈક બાલ, કઈ મધ્યમ અને બુધ, તે કેવી રીતે? તે માટે કહે છે કે–બાળક હોય તે ફળ દેખીને પ્રવૃત્તિ ન કરે પણ પ્રયત્ન કર્યા કરે. નાનાં બાળક ધૂળના મકાન પૂરા વાવડીઓ કરે પણ તેમાં ફળ ન હોય એ દષ્ટિ પણ ન હોય. મોટાઓને મહેલ