Book Title: Dhandhero Athva Gurumantra
Author(s): Sagranandsuri
Publisher: Ratanchand Shankarlal Shah

View full book text
Previous | Next

Page 381
________________ ડશક [ વ્યાખ્યાન સારે. એક માણસે ખાવા પીવાની ઇચ્છા ન કરી અને ઉપવાસ કર્યો તેને પુણ્ય થયું. આવા વિચારોથી તપસ્યાનું નિકંદન કાઢે છે. વળી મને કોઈએ ખાતાં રોક નહોતે પણ મારા મનથી જ ખાધા વિના રહ્યો છું તેથી ઉપવાસ છે. અને તેથી ભૂખને વિચાર હતો તેને માર્યો કાણે એ કહે ને? પાણિયારું કે દાભડો તૈયાર હતો. તેની આગળ કોઇની ચાકી પણ ન્હોતી. એટલે ઇચ્છા થતાં ખાઈ શકતો હતો, છતાં ન ખાધું તેનું કારણ શું ? કહે કે મનથી બંધ કરી મનથી પાળવું છે ને? તો એક બાજુ ભૂખ લાગે છે છતાં બીજી બાજુ “મારે ઉપવાસ છે ” એવું કહેવું તે કેટલું બધું સારું છે? અહિ જે ભૂખને તોડવાની વાત કરે છે તે તપસ્યાને તોડવાના ઇરાદાવાળા છે. અહિં તપસ્યાના વિચારે ભૂખને દાબી દીધી. તપ કરવા પહેલાં ભૂખને જાણતો હતો, તેથી આવી પડેલી ભૂખને દબાવી છે. અણસમજથી નથી કરતો, અને તેથી તેના તપ દ્વારા કર્મની નિજા થશે. તપની બુદ્ધિથી તપ કરે તે સકામ નિજા હેવાથી “સ્વ” કહેતાં પિતાના કમને ક્ષય કરે છે. જે ઉપર બળદ જીવે તે (વાસ–પાણી)ની આશામાં છે છતાં કંઈ મેળવી શકતો નથી, અને ભૂખ-તરસની પીડા વેઠી તે માત્રથી દેવ થયા. વગર ઇચ્છાએ કે વિરુદ્ધ ઇચ્છાએ ભૂખ અને તરસનું દુઃખ વેઠયું. તેનાથી પણ આવી કર્મની નિર્જરા થાય અને દેવકપણાનું ફળ પામે તે પછી ઈચ્છાએ કરેલી તપસ્યા અને તેથી જે સકામ નિજ રા તેનું ફળ આત્મકલ્યાણરૂપ સર્વ કર્મને ક્ષય કેમ ન થાય ? આત્મગ્લાનિ કરવારૂપ તપ કરનારને શાસ્ત્રકારે ખોડયા છે. તેથી તપસ્યાના કદ્દા દુશ્મને જ આવું બોલે છે. કેટલાક તપસ્યાને અંગે ના ન કહે, પણ સ્વાધ્યાય બગડે છે એમ કહે. સ્વાધ્યાય તે કારણનું કારણ છે. તપસ્યા તે નિર્જરાનું અનન્તર કારણ છે. મોક્ષને માર્ગ જાણે અને આદર પછી તે નિજારાનું કારણ, પણ તપસ્યા તે સીધી નિર્જરાનું કારણ શાસ્ત્રકારે અમુક તપ ન થાય તો પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. જેમ પકખીને

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394