________________
૩૨૮
ધમ્મિલ કુમાર પણ આપ આપસમાં વાદવિવાદ કરવા લાગ્યા. આ અકસ્માત જોઈને કન્યા વિષાદ પામી ગઈ. ચિત્તમાં પરાભવ પામેલી મનમાં અનેક સંકલ્પવિકલ્પ કરતી તે બાળા વનમાં ચાલી ગઈ; અને ત્યાં એક વૃક્ષની શાખાનું અવલંબન લઈને જેટલામાં ગળે ફસે ખાતી હતી, એટલામાં એક અવાજ એને કાને આવ્યું. “મુગ્ધ ! આવું સાહસ ન કર.”
આ અવાજ સાંભળીને કન્યા ચમકી કે “મને કઈ માણસ અથવા તે દેવ ગળે ફાંસો ખાવાને નિષેધ કરે છે. એ પ્રમાણે ચિંતવન કરતી હતી, એટલામાં નજીકના વૃક્ષ નીચે એક મુનિને તેણે જેયા. તેમને જોઈને વિસ્મય પામતી કન્યાએ મરણનું કાર્ય આટેપીને સુખદાયક અસુનિશિવડ છેગરાગમાં વંદન કર્યું. મુનિએ કહ્યું. “હે મહાભાગી ! તને શું દુ:ખ છે કે જેથી તે મરવાને પ્રસંગ આદર્યો છે? સુખ દુઃખ એ પ્રાણીઓને પૂર્વભવના કવિપાકને અનુસારે જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી કર્મોની સ્થિતિ પૂરેપૂરી પાકી ગઈ ન હોય, ત્યાં લગી એ કર્મી પ્રાણીને છેડતા નથી. માટે એ દુષ્ટ કોને નાશ કરવાને હે ધીરબુદ્ધિવાળી ! તું કંઈક યત્ન કર, દુર્જન પુરૂષ પણ રાજાવડે કરીને શું નથી દંડાત?” | મુનિની એવી મૃદુ વાણી સાંભળીને તે બાળા બેલી-“પ્રભે! એ દુષ્કર્મને કેવી રીતે જય કરે?”
કમને મર્મ ભેદવાને તે ફકત એક ધર્મને જ આશ્રય લે. હે બાળા ! સુખને કરનારે, સંસારના તાપને શાંત કરનારે એ ધર્મ જ છે, માટે તેને જ તું અંગીકાર કર.” ગુરૂએ તેને ધર્મનું શરણ અંગીકાર કરવાને કહ્યું.
પ્રભો ! એ કર્યો ધર્મ દુષ્કર્મને નાશ કરવા સમર્થ થશે ?” બાળાએ પૂછ્યું. તેના ઉત્તરમાં ગુરૂ બોલ્યા
“જગતમાં સર્વ ધમાન વષ સવન -. છે. આ સંસારસાગરમાં ડુબતા પ્રાણીઓ જહાજ સમાન સંયમધર્મને પ્રાપ્ત કરીને પરમપદને પ્રાપ્ત કરે છે. ” ઉત્તમ એવા સાધુમાર્ગનું શ્રવણ કરીને તે બાળા સંયમધર્મને પ્રાપ્ત કરી સાધ્વી