Book Title: Dhammil Kumar Charitra
Author(s): Jayshekharsuri, Manilal Nyalchand Shah
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 403
________________ પ્રકરણ ૬૫ મું. ખેચરબળા વિઘન્મતિ ને વિવુલતા.” એક દિવસ ધમ્પિલકુમાર પિતાના મહેલમાં શાંતિથી જમીને હિંડોળે આરામ લેતે બેઠા હતા, મનમાં પોતાના સુખી સંસારની અનેક ગડમથલે કરી રહ્યો હતો. એવામાં આકાશમાંથી વિજળી જેમ ચમકારા કરતી પૃથ્વી ઉપર ઉતરે તેમવિદ્યુના સરખી કાંતિમાન એક કન્યા એ મહેલમાં ઉતરી. સુખમાં બેઠેલા કુંવરની આગળ અકસ્માત વિદ્યુતની જેમ તે પ્રગટ થઈ અને કહેવા લાગી. (એ કન્યા તે વિદ્વતા નામની ખેચરકન્યા હતી, કે જેના ભાઈને વનની લીલા જોતાં કુંવરે વંશજાળ છેદવા જતાં હો હતા અને જેણે બતાવેલી વેત ધ્વજાથી કુમાર ત્યાંથી ચાલ્યો ગયો હતે.) તે દિવસે કનકવાલુકા નદીના તટ ઉપર તપ કરતા મારા બંધુને ખØપ્રહારે તમેજ હ હ કે? હે પાપકાર રસિક ! આવું કાર્ય કરવું તમને શું યોગ્ય હતું? વળી મારી બેન તથા બીજી સળ કન્યાઓનાં મનહરણ કરીને તમે ત્યાંથી નાસી ગયા એ તે બહુ સારું કર્યું?” ખેચર કન્યાએ આ પ્રમાણે કુંવરને પૂછ્યું. ધમ્બિલે કહ્યું-“તારું કહેવું સર્વથા સત્ય છે. અજ્ઞાનથી મારા વડે એ પાપ થઈ ગયું છે, જેથી હું તારા ઠપકાને ચગ્ય છું. ખગ્નની ધારાની પરીક્ષા કરવા માટે હું એ વાંસનું આંટીઘૂંટીવાળું જાળું છેદવા ગયે, તેમાં અજ્ઞાનવશે તારે બંધુ હણાઈ ગયે. એ અજ્ઞાનજન્ય ચેષ્ઠિત છે. એ અપરાધ મારાથી થયે છે, તે હવે તું જ કહે કે મારે એનું શું પ્રાયશ્ચિત કરવું?” એ માટે તમારે પ્રાયશ્ચિત્ત તે કરવું જ પડશે, પણ કહે તે ખરા કે ત્યાંથી નાશી જવાનું તમારે શું કારણ હતું?” ખેચરબાળા વિઘુલતાએ પૂછયું. “ત્યાંથી ચાલ્યા જવાનું કારણ તે મિત્રસેનાને સંકેત હતા. તેની સાથેની મુલાકાતમાં મને એણે જણાવ્યું હતું કે જે સર્વે બાળાઓ

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430