Book Title: Dhammil Kumar Charitra
Author(s): Jayshekharsuri, Manilal Nyalchand Shah
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 362
________________ ધમ્મિલ કુમાર, એ સાથે વાહ વેપાર કરવાથી ઘણી લક્ષ્મી કમાયે. પછી એ લક્ષમી અને લક્ષ્મીથી અધિક પ્રિયાને લઈને તે ખુશી થતો પિતાને વતન ગમે ત્યાં પોતાની પ્રિયા સાથે નિવૃત્ત ચિત્તે તે સંસાર સંબંધી વૈષયિક સુખ ભેગવવા લાગે. કાળે કરીને વસુદત્તાને બે પુત્ર થયા, ને ત્રિીજે ગર્ભમાં હતા. અનુક્રમે યશ ને ધર્મની માફક જગતમાં એ બંને જણા માન્ય થયા. જ્યાં લક્ષમી હોય છે ત્યાં મનુષ્ય પણ માન પામે છે. અન્યદા ધનદેવ ધનપ્રાપ્તિ અર્થે માતા પિતા તથા ગર્ભ વંતી સ્ત્રીની રજા લઈને દેશાંતર ગયે. પિતાને ઘણું દેશાવર ગયે એટલે વસુદત્તાનું મન માતાપિતાને મળવાને ઉલટયું. તેને કેટલાક મહિના વ્યતિત થયા. એટલામાં ઉજ્જયિની તરફ જતે દૂર દેશાવરથી એક સાથે આવે ત્યાં ઉતર્યો. એ જાણીને સ્વચ્છંદી વસુદત્તા એની સાથે પીયર જવાને તૈયાર થઈ, તેના સસરાએ એને ઘણું સમજાવી કે આવા પરદેશી સથવારા સાથે એકાકીપણે જવું યોગ્ય નથી.” માતાપિતાને મળવા મારૂં મન ઘણી ઉત્કંઠાવાળું થઈ ગયું છે, આ સાથે પણ ત્યાં જવાનું છે, તો એની સાથે જવામાં કાંઈ હરકત નથી.” વસુદત્તાએ શ્વસુરને કહ્યું. “પણ હાલમાં તમે અહીં જ રહો, તમારો વર આવે ત્યારે જજે. વળી હમણાં તમને નવમો માસ છે, અવંતી ઘણે દૂર છે, સાથે કંઇ આપણા સંબંધવાળો નથી કે તમારી ખાતરબરદાસ રાખે, તે અજાણ્યા સથવારા સાથે એકાએક આપણાથી કેવી રીતે જવાય?” સાસુસસરાએ ઘણું સમજાવી, તે પણ એ સ્વેચ્છાચારિણું– મનસ્વિની વસુદત્તા સાર્થની સાથે જવા તૈયાર થઈ. જગતમાં એવો નિયમ છે કે “પંડિતજનેએ સ્વચ્છેદીને હીતકારી વચન પણ ન કહેવું.” એમ સમજીને સાસુ સસરા મેન રહ્યાં. વસુદત્તા પિતાના પુત્રને લઈને પ્રભાત સમયે ઘેરથી નીકળી અને નગરની બહાર જઈને જુએ છે તે સાથે તે ચાલ્યા ગયે હતું, છતાં એ લજજાથી પાછી ઘરે ન આવતાં સાર્થને મળવાની આશાએ ઉજજયિનીને રસ્તે ચાલી, ઉતાવળી ગતિએ ચાલતાં છતાં પણ વસ

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430