SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મિલ કુમાર, એ સાથે વાહ વેપાર કરવાથી ઘણી લક્ષ્મી કમાયે. પછી એ લક્ષમી અને લક્ષ્મીથી અધિક પ્રિયાને લઈને તે ખુશી થતો પિતાને વતન ગમે ત્યાં પોતાની પ્રિયા સાથે નિવૃત્ત ચિત્તે તે સંસાર સંબંધી વૈષયિક સુખ ભેગવવા લાગે. કાળે કરીને વસુદત્તાને બે પુત્ર થયા, ને ત્રિીજે ગર્ભમાં હતા. અનુક્રમે યશ ને ધર્મની માફક જગતમાં એ બંને જણા માન્ય થયા. જ્યાં લક્ષમી હોય છે ત્યાં મનુષ્ય પણ માન પામે છે. અન્યદા ધનદેવ ધનપ્રાપ્તિ અર્થે માતા પિતા તથા ગર્ભ વંતી સ્ત્રીની રજા લઈને દેશાંતર ગયે. પિતાને ઘણું દેશાવર ગયે એટલે વસુદત્તાનું મન માતાપિતાને મળવાને ઉલટયું. તેને કેટલાક મહિના વ્યતિત થયા. એટલામાં ઉજ્જયિની તરફ જતે દૂર દેશાવરથી એક સાથે આવે ત્યાં ઉતર્યો. એ જાણીને સ્વચ્છંદી વસુદત્તા એની સાથે પીયર જવાને તૈયાર થઈ, તેના સસરાએ એને ઘણું સમજાવી કે આવા પરદેશી સથવારા સાથે એકાકીપણે જવું યોગ્ય નથી.” માતાપિતાને મળવા મારૂં મન ઘણી ઉત્કંઠાવાળું થઈ ગયું છે, આ સાથે પણ ત્યાં જવાનું છે, તો એની સાથે જવામાં કાંઈ હરકત નથી.” વસુદત્તાએ શ્વસુરને કહ્યું. “પણ હાલમાં તમે અહીં જ રહો, તમારો વર આવે ત્યારે જજે. વળી હમણાં તમને નવમો માસ છે, અવંતી ઘણે દૂર છે, સાથે કંઇ આપણા સંબંધવાળો નથી કે તમારી ખાતરબરદાસ રાખે, તે અજાણ્યા સથવારા સાથે એકાએક આપણાથી કેવી રીતે જવાય?” સાસુસસરાએ ઘણું સમજાવી, તે પણ એ સ્વેચ્છાચારિણું– મનસ્વિની વસુદત્તા સાર્થની સાથે જવા તૈયાર થઈ. જગતમાં એવો નિયમ છે કે “પંડિતજનેએ સ્વચ્છેદીને હીતકારી વચન પણ ન કહેવું.” એમ સમજીને સાસુ સસરા મેન રહ્યાં. વસુદત્તા પિતાના પુત્રને લઈને પ્રભાત સમયે ઘેરથી નીકળી અને નગરની બહાર જઈને જુએ છે તે સાથે તે ચાલ્યા ગયે હતું, છતાં એ લજજાથી પાછી ઘરે ન આવતાં સાર્થને મળવાની આશાએ ઉજજયિનીને રસ્તે ચાલી, ઉતાવળી ગતિએ ચાલતાં છતાં પણ વસ
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy