________________
પ્રકરણ ૧૭ મું :
કવિ સંમેલન !
ગમંડપ રળિયામણે હતે. પૂર્વાભિમુખ રંગમંચ શેમતે હતો. આ રંગમંચ પર મોટે ભાગે નૃત્ય અને સંગીતની મહેફીલો સપ્તાહમાં ત્રણ વાર થતી હતી. કોઈ વિશિષ્ટ મહેમાન આવ્યા હોય તે તેના મનોરંજન માટે આડે દિવસે પણ મહેફીલ જામતી.
રંગમંચ પર ફરતા ગાદી તકીયા ગાઠવ્યા હતા અને ગાદીએ પર મખમલી રંગીન ચાદર બિછાવી હતી. સામે સભાપતિ રૂપે નગરીના વયેવૃદ્ધ સંગીતાચાર્યને બેસાડ્યા હતા. તેમની બાજુમાં બંને મહાકવિઓ અને બીજા આસન પર નગરીના કવિઓને બેસાડવા હતા. નાગિની દેવી એક ખૂણામાં બેઠી હતી. તેની પાછળ તેની બે મુખ્ય પરિચારિકાઓ હતી અને જમણા હાથ તરફ વાઘમંડળી બેઠી હતી.
પ્રેક્ષકગૃહમાં પણ નિમંત્રિતે, નાગિનીદેવીનાં દાસદાસીઓ, ગણિકાઓ, અભ્યાસ માટે અહીં રહેતા દસ યુવાનો વગેરે ગોઠ્ઠાઈ ગયા હતા તે સિવાય મહાકવિઓનાં આઠ દસ સંબંધીઓ અને સ્થાનિક કવિઓનાં વીસેક જેટલા સંબંધીઓ પણ ગોઠવાઈ ગયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org