Book Title: Deda Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 331
________________ ૩૨૨ દેદા શાહ હોવા છતાં સાથેનાં મધ્યમવર્ગીય યાત્રાળુઓને લાભ આપવામાં દેદા શાહ અતિ પ્રસન્નતા અનુવવા માંડ્યા. ચોથે દિવસે બધા યાત્રાળુઓ સાથે દેદા શાહ પાછા ફર્યા. માર્ગમાં બે ત્રણ તીર્થ સ્થળે આવતાં હતાં અને રસ્તો જરા કઠણ હતો. છતાં તે માર્ગે જ પ્રયાણ કર્યું. અને પિણ બે મહિને દેદા શાહને નાનકડો સંઘ વિદ્યાપુર નગરીમાં આવી ગયે. નગરીની દરેક જ્ઞાતિના આગેવાનોએ દેતા શાહનું ભાવપૂર્વક સ્વાગત કર્યું. રાજા તો મૃત્યુ પામ્યો હતો, તેની ગાદીએ તેનો પુત્ર આવ્યા હતા, તે પણ પિતાની નગરીના એક દાનેશ્વરીના સામૈયામાં હાજર રહ્યો હતો. અને ધર્મ કાર્યમાં દેદ શાહે તથા વિમલશ્રીએ ચિત્ત પરોવ્યું..... આ યાત્રા પછી ભવનની સઘળી જવાબદારી વિમલશ્રીએ વહુને સપી. વહીવટની સઘળી જવાબદારી પિતાએ પુત્રને સેંપી. હવે તે આ સત્વશીલ દંપતી ધમકરણ અને દાનાદિ કાર્યમાં જ તન્મય બનવા માંડયા. છએક મહિના વીતી ગયા. પેથડના મનમાં એક સંશય વર્ષોથી મંઝવતો હતો. એક દિવસ તેણે પિતાના ચરણ દબાવતી વખતે કહ્યું : “બાપુજી, એક વાત પૂછવાનું મન થાય છે.” એક શું ચાર પૂછને ભાઈ...” “બાપુજી, મેં સાંભળ્યું છે આપ સેનું બનાવી શકો છો. “તને કોણે કહ્યું પેથડ ?' “કોઈએ કહ્યું નથી પરંતુ વરસથી મેં અનુમાન કર્યું છે.' તારું અપમાન સાચું છે.” • તે...” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354