________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ નાસદીય સૂક્ત(૧૦-૧૨૯)માં સાંખની અવ્યક્ત પ્રકૃતિનું, હિરણ્યગર્ભ સૂક્ત(૧૦૧૨૧)માં ઉત્પત્તિક્રમનું અને પુરુષ સૂક્તમાં પુરુષ તત્ત્વનું બીજ પડેલું જૂએ છે. અથર્વવેદના અંદસૂક્તો વગેરેમાં પણ સાંખ્યદર્શનના બીજ રહેલાં છે, એમ કેટલાક માને છે. (સર અથર્વ. 10-8-43) પરંતુ સમયના ખૂબ લાંબા ગાળાના કારણે તથા અર્થઘટનની સંદિગ્ધતાને લીધે વેદના આધારે સાંખ્યદર્શન વિષે કોઈ નિશ્ચિત ધારણાઓ બાંધવી શક્ય નથી. ઉપનિષદ્ H ઉપનિષદો હંમેશા ભારતીય દર્શનોની ગંગોત્રી રહ્યાં છે. પ્રત્યેક આસ્તિક (વેદને પ્રમાણ માનનાર) દર્શન પોતાના સિદ્ધાંતના સમર્થનમાં ઉપનિષદોના અમુક મંત્રો અચૂક રજૂ કરતા હોય છે. ડૉ. જહોન્સન તેમના Early Samkhya નામના લઘુગ્રંથમાં સાંખ્યદર્શનમાં આવતા અવ્યક્ત, ગુણ, પુરુષ, પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર અને સૂક્ષ્મ શરીર જેવા પારિભાષિક શબ્દોનો ઉપનિષદોમાં ક્યાં ક્યાં ઉપયોગ થયો છે, તે દર્શાવી તેમાંથી પ્રશિષ્ટ સાંખ્યનું સ્વરૂપ શી રીતે બંધાયું, તે દર્શાવે છે. આપણે પરિણમનને લગતા કેટલાંક ઉપનિષદોના ઉલ્લેખો જોઈએ. स तथा सैन्धव....... यतो यतस्त्वाददीत लवणमेवैवं वा अर इदं महद्भूतमनन्तमपारं વિજ્ઞાનધન પર્વ તેખ્યો ભૂતેશ્ય: સમુત્થાય . (બૃહ. 2-4-12) અહીં મહત્ દ્વારા સાંખ્યના બુદ્ધિ તત્ત્વનું સ્મરણ થાય છે. સવ સોચેમ માસીમેવાદિતીયમ્ | (છાંદો. 6-2-1) स यथोर्णनाभिस्तन्तुनोच्चरेद्यथाऽग्नेः क्षुद्रा विस्फुल्लिङ्गा व्युच्चरन्त्येवमेवास्मादात्मनः सर्वे પ્રાપ: નોવા: સર્વે તેવા: સર્વાણિ ભૂતાનિ વ્યવૃત્તિ (છાંદો, 2-1-4) આ ઉપરાંત મુંડકોપનિષદ 1-1-8, પ્રશ્નોપ.૧-૧૪ મૈત્રાયણી ઉપ. (૨-૫પ૨) વગેરેમાં પણ આવા સંદર્ભો જોઈ શકાય છે. શ્વેતાશ્વતર ઉપનિષદને તો સાંખ્યઉપનિષદ્ જ કહેવામાં આવે છે : તેમાં સાંખ્ય, યોગ, કપિલ, વ્યક્ત, અવ્યક્ત, જ્ઞ, પ્રધાન, પ્રકૃતિ, ત્રણ ગુણો તથા 16 વિકારોનું પણ સૂચન પ્રાપ્ત થાય છે. પરંતુ ઉપનિષદોનો ભાર એક જ પરમ તત્ત્વ - એટલે કે બ્રહ્મ છે અને તે જ સૃષ્ટિનો મૂળ સ્રોત છે, તે સિદ્ધાંત પર રહ્યો છે, તે પણ ભૂલવું ન જોઈએ. એટલે ઉપનિષદના બ્રહ્મમૂલક નિરૂપણમાંથી વિચારબીજ લઈને પણ સાંખે પોતાના દૈતવાદને પોતાની