________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ ઇ.સ. પૂ.૫૦૦ની આસપાસ એલિયા નગરમાં કેટલાએક મહત્ત્વના ચિંતકો થઈ ગયા. તેમને એશિયાટિક સંપ્રદાયના ચિંતકો માનવામાં આવે છે. તેઓમાં પાર્મેનાઈડીઝ મુખ્ય છે. પાર્મેનાઈડીઝ પરિવર્તનવાદનો વિરોધ કરે છે. પાર્મેનાઈડીઝ કહે છે કે જે છે-તે છે જ. હંમેશા છે, Being અસ્તિત્વ એ જ સત્ છે. સત્ અવિનાશી અને અપરિવર્તનશીલ છે. સનું પરિવર્તન શક્ય નથી. કારણકે સનું પરિવર્તન સમાં અથવા તો અસમાં કલ્પવું પડે. પણ સનું સમાં પરિવર્તન એટલે મૂળભૂત સત્ જ છે. અને અસત્ તો ન હોવું તે છે. સત્ અસત્ થઈ શકે નહીં. આનો અર્થ એ થયો કે ઇન્દ્રિયોથી જે પરિવર્તન દેખાય છે તે માત્ર ભ્રમ જ છે. ઇન્દ્રિયોથી થતા જ્ઞાન કરતાં બુદ્ધિથી થતા (Reason) જ્ઞાન ને જ પ્રમાણ માનવું જોઈએ. આ રીતે પાર્મેનાઈડીઝ Realism થી Idealism ની દિશામાં પગ માંડનાર પ્રથમ ગ્રીક દાર્શનિક છે તે જોતાં સાંખ્યની વેદાન્ત તરફની ગતિ સાથે તેની વિચારધારા સરખાવી શકાય. આ રીતે હેરાકલીટસના પરિવર્તનવાદની સામે પાર્મેનાઈડીઝ નો અપરિવર્તનવાદ દાર્શનિક અભિગમો અને વિચારણાનો માર્ગ ખુલ્લો કરે છે. આ ઉભયવાદ વચ્ચે બુદ્ધિગમ્ય સમાધાન શોધવાનો પ્રયાસ પણ ગ્રીક દાર્શનિકોએ કર્યો અને તેના પરિણામે એન્ઝોડોકલીઝ, એનેકઝાગોરસ, લ્યુસીયસ અને ડેમોક્રીટસ જેવા ચિંતકોએ સ્થાપેલા અન્ય વાદો ઉપસી આવ્યા. પાર્મેનોઇડીઝના વાદોનો સમન્વય કર્યો. આ બન્ને ચિંતકોએ બે-બે વિધાનો આપ્યા હતા. પાર્મેનાઈડઝ કહે છે. (1) કાંઈ જ પરિવર્તન પામતું નથી (4) આપણને ઇન્દ્રિયથી થતું પ્રત્યક્ષ કેવળ ભ્રમ છે. હેરાકલીટસ કહે છે. () બધું જ પરિવર્તન પામે છે. (વ) આપણને ઇન્દ્રિયથી થતું પ્રત્યક્ષ સાચું છે. એપેડોકલીઝે કહ્યું આ બન્ને એક બાબતમાં સાચા છે પણ બીજી બાબતમાં નહીં જેમકે પદાર્થ (દા.ત. જળ) મૂળભૂત રૂપે તો તેનો તે જ રહે છે. તેમાં તાત્ત્વિક પરિવર્તન થતું નથી. એટલે એટલા અંશે પાનાઈડઝ સાચા છે. પણ ઇન્દ્રિય-પ્રત્યક્ષ ભ્રમ છે એવો તેમનો મત ગ્રાહ્ય રાખી શકાય નહિ, તો ત્યાં ઇન્દ્રિય પ્રત્યક્ષનો સ્વીકાર કરનાર