________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
જ સ્વરૂપ પ્રાપ્તિ થાય છે, એનો ઉપાય દર્શાવીએ છીએ જે પરિણામ ઊલટી (ગુલાંટ ખાઈ ) પરમાં પોતાને માની સ્વરૂપનું વિસ્મરણ કરી રહ્યા છે તે જ પરિણામ સુલટી (સવળા થઈ ) સ્વરૂપને પોતારૂપ માની પરનું વિસ્મરણ કરે તો મુક્તિકામિનીનો (મુક્તિરમણીનો) કંથ થાય.
પ્રશ્ન:- એવા પરિણામમાં કાંઈ કલેશ તો નથી (તો) એવા પરિણામ (ચિદાનંદ આત્મા) કેમ કરતો નથી ?
સમાધાનઃ- અનાદિકાળથી (આ જીવ) અવિદ્યામાં (મિથ્યાત્વમાં) પડ્યો છે. મોહની ગાંઠ નિબિડ (નિવડ) પડી છે. આત્મા અને પરનું એકત્સંઘાન થઈ રહ્યું છે. જેવી રીતે કોઈ પુરુષને અફીણનો અમલ ચઢયો છે, તે દુઃખ પામે છે પણ છૂટી શકતો નથી. શાથી? કે (અમલ) ઘણો ચઢયો છે, છુટવાથી સુખ છે, કલેષ (દુઃખ) નથી, પણ તલપ લાગતાં તે લે ને લે જ; તેવી રીતે આ (જીવ) પરમોથી બંધાઈ રહ્યો છે. છૂટવાથી સુખ છે, છતાં છૂટતો નથી. અનાદિના સંયોગથી છૂટતાં સુખ થાય છે છતાં જૂઠું જ દુઃખ માને છે. તેને મટાડવાને માટે પ્રજ્ઞાછીણીને આત્મા અને પરના એકત્વસંધાનમાં નાખે. ચેતના અંશ અંશને પોતાનો જાણે (કે) જેમાં જડનો પ્રવેશ નથી. કેવી રીતે જાણે તે કહેવામાં આવે છે.
જે આ (જ્ઞાન) પરમાં પોતાને જાણે છે ને આ જ્ઞાન નિજ વાનગી છે. (જે જ્ઞાન પરમાં પોતાને જાણે છે તે જ્ઞાનજ નિજ વાનગી છે.) આ નિજ (જ્ઞાન) વાનગી ઘણા સંતો ઓળખી ઓળખીને અજરઅમર થયા, તે કહેવા માત્ર જ ન ગ્રહે, (તે માત્ર બોલવા પૂરતું જ ન રાખે), પણ ચિત્તને ચેતનામાં લીન કરે, સ્વરૂપ અનુભવનો વિલાસ સુખનિવાસ છે તેને કરે. (સ્વરૂપ-અનુભવનો જે સુખરસ તેમાં ચિત્તને રમાવે ) તે કેવી રીતે કરે તે કહેવામાં આવે છે.
નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે, - દર્શનશાન-ચેતનાનો પ્રકાશ (પોતાના) ઉપયોગ દ્વારમાં દઢ ભાવે- (ચિંતવે) ચિપરિણતિથી સ્વરૂપરસ થાય છે. દ્રવ્યગુણ પર્યાયને યથાર્થ અનુભવવા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com