________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
|| હવે નિજધર્માધિકાર કહેવામાં આવે છે
વસ્તુસ્વભાવ તે નિજધર્મ, તો આત્માનો નિજધર્મ-નિર્વિકાર સમ્યક યથારૂપ અનંતગુણપર્યાયસ્વભાવ-તેને ધર્મ કહીએ. નિશ્ચયજ્ઞાનદર્શનાદિ પોતાના ધર્મ છે. જીવ નિજધર્મ ધરતાં જ પરમ શુદ્ધ છે. નિજ કહેતાં સ્વ, તેનો ધર્મ કહેતાં સ્વભાવ, તેને નિજ ધર્મ કહીએ.
પ્રશ્ન:- પોતાના સ્વભાવરૂપ સર્વ પદાર્થો છે. તેમનો ધર્મ તે તેમનો નિજધર્મ છે. આત્માનો (ધર્મ) આત્મામાં છે; તેથી દર્શનજ્ઞાનને જ નિજધર્મ એમ ન કહો?
સમાધાન- સ્વભાવ તો સર્વ બધાયને જ (સર્વગુણોને જ) કહેવાય છે. તેમનો ધર્મ, (તે) તેમનો સ્વભાવ, એ તો એમ જ છે. પણ તારણધર્મ, સજીવધર્મ, પ્રકાશધર્મ, તેમના ધર્મને પ્રકાશે છે. એવો ધર્મ, પરમધર્મ હિતરૂપ ધર્મ, અસાધારણ ધર્મ, અવિનાશી સુખરૂપ ધર્મ, ચેતનાપ્રાણધર્મ, પરમેશ્વરધર્મ, સર્વોપરીધર્મ, અનંતગુણધર્મ, શુદ્ધસ્વરૂપપરિણતિધર્મ, અપાર મહિમાધારકધર્મ નિજશુદ્ધાત્મસ્વભાવરૂપ ધર્મ તે નિજ ધર્મ છે. તેમનો વિશેષભેદ કહેવામાં આવે છે -
આ અનાદિસંસારમાં જીવ કર્મયોગથી જન્માદિ દુ:ખ ભોગવે છે. તે આ પરધર્મને નિજધર્મ માને છે, માટે દુઃખ પામે છે. એ તો સત્ય છે. શાથી? કે જો સરદાર, પ્રધાન પુરુષને નિંધમાં ગણે તો તે દંડ સહે. નિંધ દેહમાં ચેતનધર્મ માને તો તે દુઃખ પામે ને પામે જ. શુદ્ધચૈતન્યધર્મને જ્યારે ધર્મ જાણે ત્યારે તે સંસારતારણધર્મ, અનંતચેતનારૂપ ધર્મ તે વડે શુદ્ધચૈતન્યજીવધર્મ, અજ્ઞેયપરયને પ્રકાશ માટે પ્રકાશધર્મ, એણે સર્વદ્રવ્યોના ધર્મ પ્રગટ કર્યા, તેમના ધર્મને પ્રગટ આપ્યા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com