________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૬૫. સર્વથી ઉત્તમ માટે પરમધર્મ, નિજરૂપથી અનંત સુખ થાય માટે હિનધર્મ, અન્યમાં નથી માટે અસાધારણ ધર્મ, સહજરૂપ અવિનાશી આનંદ છે માટે અવિનાશી સુખરૂપ ધર્મ, ચેતનાપ્રાણ ધરે છે માટે ચેતનાપ્રાણધર્મ, સહજરૂપ પરમેશ્વર છે એવો સ્વભાવમય પરમેશ્વરધર્મ, સર્વથી ઉત્કૃષ્ટ છે માટે સર્વોપરી ધર્મ, જેનો સ્વભાવ અનંતગુણરૂપ છે માટે અનંતગુણધર્મ, શુદ્ધ થતાં સદાય શુદ્ધસ્વરૂપે પરિણમે માટે શુદ્ધસ્વરૂપપરિણતિધર્મ, અપારમહિમાસહિત છે માટે અપારમહિમાધારકધર્મ છે, અનંતશક્તિને ધરે છે (તેથી) અનંતશક્તિરૂપધર્મ, એક ગુણના અનંત પર્યાય, એવા અનંત ગુણ અનંત મહિમાને ધરે છે. તે નિજ ધર્મના મહિમાને ક્યાં સુધી કહીએ? એકદેશ નિજધર્મ ધરતાં પણ સંસાર પાર થાય છે. શાથી? કે એકદેશ થતાં સર્વદશ થાય ને થાય જ. તેથી એવું જાણો (સમજો) કે “પરધર્મથી અનંત દુઃખ, નિજધર્મથી અનંત સુખ.' માટે નિજધર્મને ધારી પોતાના પરમેશ્વરને પ્રગટ કરો. નિજધર્મની ધારણા અનુભવથી થાય છે. નિજધર્મ થતાં અનુભવ થાય. માટે અનુભવસારસિદ્ધિ અર્થે નિજધર્મ-અધિકાર કહ્યો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com