Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 82
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮ અનુભવ પ્રકાશ વળી સિદ્ધ નિકલ સકલ કર્મરહિત પરમાત્મા છે. અન્તરાત્માને જ્ઞાનધારા અને કર્મધારા છે. કોઈ પ્રશ્ન કરે કે જો બારમે ગુણસ્થાને બે ધારા છે કે એક જ્ઞાનધારા જ છે. જો (એક) જ્ઞાનધારા જ છે તો (તેને) અન્તરાત્મા ન કહો; તથા જો બંને ધારા છે તો બારમા ગુણસ્થાને મોહ ક્ષય થયો છે. રાગદ્વેષમોહ સર્વ ગયા છે તો બીજી કર્મધારા ત્યાં ક્યાં રહી? તેનું સમાધાનઃ- જ્ઞાન પરોક્ષ છે, (કારણ કે) કેવલજ્ઞાનાવરણ છે તેથી અજ્ઞાનભાવ બારમાં ગુણસ્થાન સુધી છે. તેથી અન્તરાત્મા છે, પ્રત્યક્ષ જ્ઞાન વિના તે પરમાત્મા નથી. કષાય ગયા પણ અજ્ઞાનભાવ છે માટે તે પરમાત્મા નથી, અંતરાત્મા છે. પ્રશ્ન- બારમા (ગુણસ્થાન) માં અજ્ઞાન શું? તેનું સમાધાનઃ- કેવલજ્ઞાન વિના સકલ પર્યાય ભાસતા નથી તેજ અજ્ઞાન, નિજ પ્રત્યક્ષ વગરનું પણ અજ્ઞાન છે, તેથી “અજ્ઞાન' સંજ્ઞા થઈ. આ મિશ્ર-અધિકાર (કહ્યો). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96