________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હવે મિશ્રધર્મ-અધિકાર કહેવામાં આવે છે
તે મિશ્રધર્મ અંતરાત્માને છે, એમ શાથી? કે સ્વરૂપશ્રધ્ધાન સમ્યક (છે, અને) જેટલો કષાય-અંશ છે તેટલી રાગદ્વેષધારા છે; આત્મશ્રદ્ધાભાવમાં આનંદ હોય છે, કષાય સર્વથા નથી ગયા. મુખ્ય શ્રધ્ધાભાવ છે, અને ગૌણ પરભાવ છે, એક અખંડ ચેતનાભાવ સર્વથા થયો નથી તેથી મિશ્રભાવ છે. બારમાં ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ-એકદેશ અજ્ઞાનચેતના છે અને કર્મચેતના પણ છે, તેથી મિશ્રધારા છે. ઉપયોગમાં સ્વરૂપની પ્રતીતિ થઈ પણ શુભાશુભ કર્મની ધારા વહે છે. તેનાથી રંજકભાવ કર્મધારામાં છે. પરંતુ સ્વરૂપશ્રધ્ધાન મોક્ષનું કારણ છે, ભવબાધા મટાડવાને સમર્થ છે. એવી કોઈ કર્મધારાની દુર્નિવાર ગાંઠ છે કે જો કે પ્રતીતિમાં સ્વરૂપનો બરાબર નિર્ણય કર્યો છે તોપણ સર્વથા (સ્વરૂપ ) ન્યારું થયું નથી, મિશ્રરૂપ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે- સમ્યફગુણ ક્ષાપિક સમ્યગદષ્ટિને સર્વથા થયો છે કે નથી થયો? તેનું સમાધાન કહો.
જો એમ કહેશો કે સર્વથા થયો છે તો (તેને) સિદ્ધ કહો. શાથી? કે એક ગુણ સર્વથા વિમલ થતાં સર્વ ( ગુણ ) શુધ્ધ થાય. સમ્યગુણ સર્વ ગુણોમાં ફેલાયો છે, (તેથી) સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન સર્વ ગુણો સમ્યગૂ થયા. (પણ) સર્વથા સમ્યજ્ઞાન નથી, એકદેશ સમ્યજ્ઞાન છે. સર્વથા સમ્યજ્ઞાન હોય તો સર્વથા સમ્યફગુણ શુદ્ધ હોય તેથી સર્વથા કહેવાય નહીં.
(વળી) જો કિંચિત સમ્યકગુણ શુદ્ધ કહીએ તો સમ્યકત્વગુણનું ઘાતક જે મિથ્યાત્વ-અનંતાનુબંધી કર્મ હતું તે તો ન રહ્યું,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com