________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ ઉપાય પોતાના સ્વરૂપને પામવાનો, પોતાનો ઉપયોગ છે. અન્ય ઉપાય તાજપસંયમાદિ શુભકર્મ છે. જેમાં પરમાત્માની ભક્તિ શુભ પણ પ્રતીતિથી, કારણ પણ છે; કારણ ધ્યાનથી કાર્યની સિદ્ધિ થાય છે. ગ્રંથ-ઉપદેશ પણ કારણ છે. પણ ઉપયોગ આવ્યે શુદ્ધ થાય. તેથી ઉપયોગની એકદેશ શુદ્ધતાની વૃદ્ધિ જેમ જેમ થાય તેમ તેમ મોક્ષમાર્ગમાં ચડે. આ શ્રી જિનેન્દ્રભગવાનનો નિરાબાધ ઉપદેશ છે. સકલ ઉપાધિ અનાદિથી લાગી આવી છે (પણ) જ્યારે ઉપયોગથી સમાધિ લાગે ત્યારે સાક્ષાત્ શિવપંથ સુગમ થાય. અનેક સંત સ્વરૂપસમાધિ ધરી ધરી પાર પામ્યા.
૧. આ કથન નિમિત્તથી છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com