________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૧
અનુભવ પ્રકાશ દુઃખદંડ ભોગવે છે. વિવેક-રાજાનો અમલ (શાસન) થાય અને પરગ્રહણરૂપી ચોરી મટે ત્યારે પોતે શાહપદ ધરી સુખી થાય. ત્યારે નિજપરિણતિ રમણીથી પોતાનું નિજ ઘર સ્થિર કરે.
અનાદિથી અસ્થિરપદનો પ્રવેશ હતો, તેને ત્યાગી અખંડ અવિનાશી પદમાં પહોંચે. સ્વરૂપનો અનુભવ એ સાક્ષાત શિવમાર્ગ (મોક્ષમાર્ગ) છે, સ્વરૂપનો અનુભવ એ શિવપદ છે, અનુભવ ત્રિભુવનસાર છે, અનુભવ અનંત કલ્યાણ છે, અનુભવ મહિમાભંડાર છે, અનુભવ અતુલ બોધફળ છે, અનુભવ અરસરસ છે, અનુભવ સ્વસંવેદન છે, અનુભવ તૃપ્તિભાવ છે, અનુભવ અખંડપદ સર્વસ્વ છે, અનુભવ રસાસ્વાદ છે, અનુભવ વિમલરૂપ છે, અનુભવ અચલ જ્યોતિરૂપને પ્રગટ કરનાર છે. અનુભવ અનુભવનાં રસમાં અનંતગુણો રસ છે, પંચપરમગુરુ અનુભવથી થયા અને થશે. સકલ સંત, મહંત, ભગવંત અનુભવમાં લાગેલા છે. માટે જે ગુણવાન છે તે અનુભવ કરો. સકલ જીવરાશિ, સ્વરૂપને અનુભવો. આ અનુભવપંથને નિગ્રંથ સાધી સાધી ભગવાન થયા.
પરિગ્રહવાન સમ્યગ્દષ્ટિ પણ ક્યારેક ક્યારેક અનુભવ કરે છે, તેઓ ધન્ય છે. મોક્ષના સાધક છે. જે સમયે સ્વરૂપ-અનુભવ કરે છે તે સમયે સિદ્ધ સમાન અપ્લાન આત્મતત્ત્વને અનુભવે છે. એક દેશ સ્વરૂપ અનુભવમાં સ્વરૂપ-અનુભવની સર્વસ્વ જાતિ પિછાણિ છે. અનુભવ પૂજ્ય છે, પરમ છે, ધર્મ છે, સાર છે, અપાર છે, ઉધ્ધાર કરે છે, અવિકાર છે, ભવપાર કરે છે, મહિમાને ધરે છે, દોષને હરનાર છે, તેનાથી ચિદાનંદનો સુધાર છે.
| (સ વૈ યા) દેવ જિનેન્દ્ર મુનિદ્ર સર્બ અનુભૌ રસ પીયર્કે આનંદ પાય;
કેવલજ્ઞાન વિરાજત હૈ નિત સો અનુભૌરસ સિદ્ધ લખાયો. ૧. ગુણ અનંત કે રસ સર્બ અનુભવ રસકે માંહિ યાતેં અનુભૌ સારિખી ઔર દૂસરો નાહિ. ૧૫૩ પંચ પરમગુરુ જે ભયે જે હોંગે જગમાંહિ; તે અનુભૌ પરસાદૌં યામેં ધોખો નાહિં. ૧૫૪
(જ્ઞાન દર્પણ)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com