________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૭૧ જાણે તો તે કાચ ન થાય. ચિંતામણિપણું ન જાય. તેમ આત્માને પર જાણે તો પર ન થાય, અને પરને આત્મા જાણે તો તે આત્મા ન થાય. વસ્તુ પોતાના સ્વભાવનો ત્યાગ કોઈ કાળે ન કરે. વસ્તુ વસ્તુત્વને ન તજે, પોતાના દ્રવ્યને ન તજે, પોતાના પ્રમાણને ન તજે, પોતાના પ્રદેશને ન તજે, ઇત્યાદિ ભાવને ન તજે, માટે તે અનાદિપ્રદેશપ્રમાણને (અનાદિથી ચાલ્યા આવતા પોતાના પ્રદેશપ્રમાણને) ન તજે. (વ) શુદ્ધ-અશુદ્ધ બને અવસ્થામાં પોતાના દ્રવ્યક્ષેત્રકાલભાવની દશા ન તજે. (તેનો) મહિમા અનંત અમિટ છે, (અર્થાત્ ) કોઈથી મટાડયો મટતો નથી, નિશ્ચયથી જે છે તે છે. (માટે) નિજ વસ્તુને શ્રદ્ધાન, જ્ઞાનાદિ અનંતગુણમાત્ર ( રૂપ) જાણી અનંત સુખ કરે તો સુખી થાય. ઉપાયથી ઉપયને પમાય છે. તે ઉપય આનંદઘન પરમાત્મા પરમેશ્વર છે. તેનો ઉપાય એટલા માટે કરવો કે “સંસારઅવસ્થામાં જ શરીરમાં કર્મબંધથી ગુપ્ત થયો, પરભાવનાથી દુઃખી થયો, પોતાનું પરમેશ્વરપદ ન પામ્યો.” તેનો ઉપાય હોય તો ઉપેયને પામીએ. તે ઉપાય કહેવામાં આવે છે:
અપનો ન રૂપ જાનૈ ઔરહીસ્યોં ઔર માને ઠાનૈ બહુ ખેદ નિજ રીતિ ન સંભારી હૈ ઐસે તો અનાદિ કહો કહા સિદ્ધિ સાધી અબ તૈકહૂ નિહારો નિધિ ચેતના તુારી હૈ.
-જ્ઞાન દર્પણ ૪૭ જ્ઞાન ઉપયોગ યોગ જાકો ન વિયોગ યોગ હોય નિહર્ચે નિહારે એક તિહુઁ લોક ભૂપ હૈ; ચેતના અનંત ચિપ સાસતોં વિરાજમાન ગતિ ગતિ ભ્રમ્યોં તોઊ અચલ અનૂપ હૈ. જૈસે મણિમાંહિ કોઈ કાચખંડ મામૈ તો? મહિમા ન જાય વામૈં વાહીકો સરૂપ હૈ ઐસેં હી સંભારિકે સરૂપકો વિચાર્યો મેં અનાદિકો અખંડ મેરો ચિદાનંરૂપ હૈ.
-જ્ઞાન દર્પણ ૩૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com