Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 83
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિશ્ચયવસ્તુસ્વરૂપ - હવે નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું તેનું કંઈક વર્ણન કરવામાં આવે છે. વસ્તુનું પોતાનું નિજ સ્વરૂપ અનંતગુણમય છે, તેમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રધાન છે. શાથી? કે દેખવા-જાણવા પરિણમન વડ વેદવાથી રસાસ્વાદ અનુભવ થાય છે, ત્યાં સુખ સમકિત પ્રગટે છે. તેમના વડે ચેતના જાણવામાં આવી, ત્યારે ચેતનસત્તા, ચેતનવસ્તુત્વ, ચેતનદ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ એ કહ્યાં. માટે દર્શન, જ્ઞાન, ચારિત્ર જીવવસ્તુનું સર્વસ્વ છે. દ્રવ્ય ગુણ, પર્યાય એ વસ્તુની અવસ્થા છે. અનાદિનિધન વસ્તુ અખંડ ચેતનારૂપ વર્તે છે, પણ અનાદિ કર્મોગથી અશુદ્ધ થઈ રહી છે; સુખનિધાનને જાણતી નથી તો પણ શુદ્ધસ્વરૂપ છે. જેમ કોઈએ કોઈ એક જ્ઞાનવાન પુરુષને પૂછયું કે અમને શુદ્ધ ચેતનની પ્રાપ્તિ બતાવો? ત્યારે તે પુરુષે કહ્યું કે:- અમુક એક જ્ઞાનવાન છે. તેમની પાસે જાઓ, તે તમને બતાવશે-પ્રાપ્તિ કરાવશે. ત્યારે તે (ત્યાં) ગયો. જઈને પ્રશ્ન કર્યો કે અમને ચેતનની પ્રાપ્તિ કરાવો. ત્યારે તેણે તેને કહ્યું કે-દરિયામાં એક મચ્છ રહે છે, તેની પાસે તમે જાઓ. તે મચ્છ તમને ચૈતન્યપ્રાપ્તિ કરાવશે. ત્યારે તેના ઉપદેશથી તે પુરુષ પેલા મચ્છ પાસે ગયો. જઈને પ્રશ્ન કર્યો કે અમને શુદ્ધ ચૈતન્યની પ્રાપ્તિ કરાવો. ત્યારે મચ્છે એવું વચન કહ્યું કે અમારું એક કામ છે તે પહેલા કરો, તો પછી તમને ચિદાનંદમાં લીન કરીએ. તમે મહાન સંત છો. અમારું કાર્ય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96