Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 88
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ અનુભવ પ્રકાશ - નિરંતર જ્યાં અચલજ્યોતિનો વિલાસ અનુભવપ્રકાશમાં થયો, ( ત્યાં) ઉપયોગમાં પરિણામ જોડાયા. જેમ જેમ દર્શનજ્ઞાનચેતના અનૂપ, અખંડિત, અનંતગુણમંડિત સ્વરૂપને જાણી રસાસ્વાદ લે, તેમ તેમ પરવિસ્મરણ થઈ. પરઉપાધિની લીનતા મટે, સમાધિ પ્રગટે ત્યારે સમ્યક્ પ્રકારે ઉત્કૃષ્ટ સ્વરૂપવત્તા થાય. સમ્યજ્ઞાન થતાં વસ્તુનો મહિમા જાણે, જાણતાં આનંદ થાય. જ્ઞાન જ્ઞાનને જાણે, જ્ઞાન દર્શનને જાણે, જ્ઞાન સર્વ ગુણોને જાણે. દ્રવ્યને જાણે, પર્યાયને જાણે, એકદેશભેદે સાધકજ્ઞાન જાણે. જ્ઞાનથી વસ્તુને જાણતાં પરમપદ પામે. તેના જેવું (પરમપદ જેવું) સુખ પરોક્ષ જ્ઞાનમાં પણ છે. પ્રત્યક્ષ પ્રતીતિમાં વેદે છે. ત્યાં આનંદ એવો થાય છે. સંપ્રજ્ઞાતસમાધિમાં દુઃખાદિની વેદના પ્રત્યક્ષ થવા છતાં પણ વેદતો નથી. વિધાન સ્વરૂપ વેદવાનું છે. મનવિકાર જેટલા અંશે વિલય પામ્યા તેટલી સમાધિ થઈ, (અ) સમ્યજ્ઞાનથી વસ્તુનો જેટલો ભેદ ગુણો વડે જાણ્યો તેટલું સુખ-આનંદવધ્યું. વિશ્રામ થતાં સ્વરૂપસ્થિરતા પામી. સમાધિ લાગી, જ્ઞાનધારા નિવારણ થઈ, જેમ જેમ નિજ તત્ત્વ જાણે તેમ તેમ કેવલ વિશુદ્ધતા વડે જ્ઞાનપરિણતિ પરમપુરુષ સાથે મળી નિજ મહિમાને પ્રગટ કરે. ત્યાં અપૂર્વ આનંદભાવની પિછાણ થાય ત્યારે સ્વરૂપની સમાધિ કહીએ. ત્યાં આકુલતાનું મૂલ જે અનાદિના અજ્ઞાનનો ભ્રમભાવ હતો તે મટયો. અનાત્મના અભ્યાસના અભાવથી સહજપદનો ભાવ ભાવતાં ભગવાસના વિલય પામે, ગુણનું નિધાન એવું પરમપદનું સ્થાન દેખાય, પ્રમાણભાવ વડે અપ્લાન ભગવાનના સકલ પદાર્થને જાણવારૂપ જ્ઞાનની પ્રતીતિમાં નવ નિધાન આદિ જગતનું વિધાન જૂઠું ભાસ્યું ત્યારે આત્મભાવ પ્રકાશ્યો, (તેની) ઓળખાણ (પોતે) પોતાથી કરી ત્યારે ચેતનભાવ લીધો, શુદ્ધ ધારણા ધરી, નિજ ભાવના કરી, શિવપદને અનુસરી, આનંદરસથી ભરી, ભવબાધા હરી, જ્યાં જેટલી સદા પ્રમોદપૂર્વક અબાધા (કરી) ત્યાં એટલી શક્તિ વધી, શિવસુખદાયક, ચિદાનંદની અધિકાઈ ગ્રંથગ્રંથોમાં (દરેક સગ્રંથમાં) ગાઈ છે (કહી છે) તે સમાધિથી પામવામાં આવે છે. આ સ્વરૂપાનંદ પદનો ભેદી (મર્મજ્ઞ) સમાધિથી થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96