________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ જુદો પ્રતીતિભાવ કરે કે શરીર પ્રત્યક્ષ જડરૂપ રહે છે. સદા (ક્યારેય) તેમાં ચેતનાનો પ્રવેશ ન થાય. ચેતના જડ ન થાય, એ પ્રત્યક્ષ સર્વ ગ્રંથો કહે છે, સર્વ જન કર્યું છે. જિનવાણી વિશેષ કરીને કહે છે. (તથા) પોતાના જાણવામાં પણ આવે છે. શરીર જડ અનંતા તજ્યાં (પણ) દર્શનજ્ઞાન સદાય સાથે રહ્યાં કર્યા, તેથી અત્યારે પણ દેખવા-જાણવાવાળો આ મારો ઉપયોગ તેજ મારું સ્વરૂપ છે. તેથી ઉપયોગી-અનુપયોગીને વિચારતાં જડચેતનની પ્રતીતિ થાય. વિભાવ કર્મચેતના છે. કર્મ-રાગદ્વેષમોહરૂપ ભાવકર્મ તેમાં ચેતના પરિણમે છે. ત્યારે ચિદ્વિકાર થાય છે. આ ચિદ્ધિકારને પોતાનો કરીને પોતાને મલિન કર્યો છે. કેવલજ્ઞાનપ્રકાશ આત્માનો વિલાસ છે. તેને સંભારતો નથી. મોહવશથી ગ્રંથને સાંભળે છે તથા જાણે છે. શરીર, વિણસશે, પરિવાર, ધન, સ્ત્રી, પુત્ર એ પણ રહેશે નહિ, પણ તેમના પ્રત્યે હેત કરે, નરકનો બંધ પડે, એવા) અનંત દુઃખના કારણને સુખ સમજે છે.
આવી અજ્ઞાનતા મોહવશથી છે. માટે જ્ઞાનપ્રકાશરૂપ મારો ઉપયોગ સદાય મારું સ્વરૂપ છે, તેથી સદાય મારો સ્વભાવ મારામાં છે, કદી પણ જેનો વિયોગ ન થાય, અનંતમહિમાભંડાર, અવિકાર, સારસરૂપ (સારસ્વરૂપ) દુર્નિવાર મોહથી રહિત થાય (એમ) અનુપમ આનંદધનની ભાવના કરવી. જડ અને પરજીવરૂપ સર્વ પરનો અંશે અંશ સ્વરૂપથી ભિન્ન જાણી દર્શનજ્ઞાનચારિત્રાદિ અનંતગુણમય મારું સ્વરૂપ છે. પ્રતીતિમાં એવો ભાવ કરતાં પર ન્યારું ભાસે. વિભાવરૂપ ઉફદમલ (ઔપાધિક ભાવ) પોતાને ભ્રમથી થયો તેથી ભ્રમ મટાડતાં વિભાવ ન થાય, સ્વભાવ પ્રગટે, અનાદિના અજ્ઞાનથી જ્ઞાન ગુપ્ત થયું છે. શુદ્ધ-અશુદ્ધ બંને દશામાં જ્ઞાન શાશ્વતી શક્તિ સહિત છે. ચિદ્ધિકારભાવ, ક્રોધાદિરૂપ થતાં થાય છે, તે જ ભાવને મટાડી પોતે નિર્વિકાર સહજ ભાવને, પોતાનામાં આચરણ-વિશ્રામ-સ્થિરતાના પરિણામ કરી, કરો. જે બાહ્યમાં પરિણામ ઊઠે છે તે અશુદ્ધ છે, તે પરિણામનો કરનાર અશુદ્ધ થાય છે. ચેતનાનામ (ચેતનાભાવ) બાહ્ય વિકારમાં ન આવે, ઉપયોગરૂપ પોતાની આ જ્ઞાયકશક્તિને યથાર્થ (બરાબર, નિશ્ચયથી) જાણો તો નિજરૂપ સ્થિર થાય. ચેતનઉપયોગની પ્રતીતિ કરતાં કરતાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com