________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯
અનુભવ પ્રકાશ ત્રણેય નિરતિશય, સામ્યકત્વ સહિતમાં તો નિયમ છે કે તે પરંપરા મોક્ષ કરે ને કરે જ. સામ્યકત્વ વિનાનો શુભપયોગ સંસારસુખ આપે, દેવપદ આપે કે રાજપદ આપે, ત્યાં દેવગુરુશાસ્ત્રનું નિમિત્ત હોય તેને લાભ થવો હોય તો થાય, નહિ તો ન થાય. કાર્યને કારણે નિયમ વગર છે, એવી રીતિ જાણવી એ પ્રકારે શુભોપયોગ સાધક છે, પરંપરા મોક્ષ સાધ્ય છે.
અંતરાત્મા ભેદજ્ઞાન વડ પરથી ભિન્ન નિજ રૂપને જાણે છે. સિદ્ધ સમાન પ્રતીતિ જ્ઞાનગોચર કરે ત્યારે સ્વયમેવ સાધક છે, નિશ્ચયનયે અભેદ પરમાત્મા સાધ્ય છે. જ્યાં જ્ઞાનાદિ મોક્ષમાર્ગ એટલે શુધ્ધોપયોગરૂપ એકદેશ-સ્વસંવેદન, ત્યાં મોક્ષસ્વરૂપ અભેદ જ્ઞાનમૂર્તિ આત્માને સાધે, તેથી અભેદજ્ઞાન મોક્ષરૂપ સાધ્ય છે. જધન્ય જ્ઞાનથી ઉત્કૃષ્ટ જ્ઞાન પામીએ, માટે જઘન્ય જ્ઞાન સાધક, ઉત્કૃષ્ટ જ્ઞાન સાધ્ય છે. જ્યાં અલ્પ જ્ઞાનાદિથી નિશ્ચલ કરે ત્યાં તે નિશ્ચય વધે છે. જેવી રીતે અલ્પ અમલથી, (તેને) ચાહીને લીન થતા, અમલ ઘણો ચડે છે તેમ બહુ નિશ્ચયપરિણતિરૂપ જ્ઞાનાદિ ગુણ વધે તે સાધ્ય છે. સમ્યકત્વી જીવ દર્શનશાનચારિત્ર્યને સાધે છે. માટે સમ્યક દર્શનજ્ઞાનચારિત્ર સાધ્ય છે, સમ્યકત્વી સાધક છે. સમ્યકત્વ (સમ્યફ ) જ્ઞાનાદિ ભાવ શુદ્ધ થતાં જ્યારે દ્રવ્યકર્મ મટે ત્યારે દ્રવ્યમોક્ષ થાય છે, માટે ગુણમોક્ષ સાધક છે, દ્રવ્યમોક્ષ સાધ્ય છે. ક્ષપકશ્રેણીએ ચઢે ત્યારે તદ્દભવ મોક્ષ થાય, માટે ક્ષપકશ્રેણી ચઢવી સાધક છે, તદ્ભવ મોક્ષ સાધ્ય છે; દ્રવ્ય (દ્રવ્ય) લિંગ હોય અને ભાવે સ્વરૂપભાવનો ભાવ હોય, ત્યારે સાક્ષાત્ મોક્ષ સાધે તેથી દ્રવ્યથી, ભાવથી થયેલો યતિવ્યવહાર સાધક છે, ત્યાં સાક્ષાત્ મોક્ષ સાધ્ય છે. ભાવમનનો વિકાર વિલય થયે સાક્ષાત્ મોક્ષ થાય છે માટે ભાવમનાદિરીતિનો વિલય સાધક છે, સાક્ષાત્ મોક્ષરૂપ સાધ્ય છે.
જ્યાં પૌદ્રાલિક કર્મ ખરવા સાધક છે, શાથી કે ? પૌઢાલિક કર્મવિપાક આવ્યું મનોવિકાર ઊપજે છે, તેથી પુદ્ગલ જ ખરી જાય છે ત્યારે મનોવિકાર ક્યાંથી રહે? તેથી મનોવિકાર વિલય થવો સાધ્ય છે, કર્મ ખરવા સાધક છે. જે પરમાણુમાત્ર પણ પરિગ્રહ હોય તો મમતાભાવ હોય ને હોય જ તેથી પરમાણુમાત્ર પરિગ્રહ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com