________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૪૧ મોક્ષમાર્ગ સાધક છે, મોક્ષ સાધ્ય છે. ધ્યાન સાધક છે, મનોવિકાર વિલય (થવા) સાધ્ય છે. ધ્યાનાભ્યાસ સાધક છે, ધ્યાનસિદ્ધિ સાધ્ય છે. સૂત્રતાત્પર્ય સાધક છે, શાસ્ત્રતાત્પર્ય સાધ્ય છે. નિયમ સાધક છે, નિશ્ચયપદને પામવું તે સાધ્ય છે. નય, પ્રમાણ, નિક્ષેપ સાધક છે, ન્યાયસ્થાપના (ન્યાયને સ્થાપવો તે) સાધ્ય છે. સમ્યક્ પ્રકારે હેય-ઉપાદેયને જાણવું સાધક છે, નિર્વિકલ્પ નિજરસ પીવો તે સાધ્ય છે. પરવસ્તુથી વિરક્તપણે સાધક છે, નિજ વસ્તુની પ્રાપ્તિ સાધ્ય છે. પરદયા સાધક છે, વ્યવહારધર્મ સાધ્ય છે. સ્વદયા સાધક છે, નિજધર્મ સાધ્ય છે. સંવેગાદિ આઠ ગુણ સાધક છે, સમ્યકત્વ સાધ્ય છે. ચેતનભાવના સાધક છે, સહજ સુખ સાધ્ય છે. પ્રાણાયામ સાધક છે, મનોવશીકરણ સાધ્ય છે. ધારણા સાધક છે, ધ્યાન સાધ્ય છે, ધ્યાન સાધક છે. સમાધિ સાધ્ય છે. આત્મચિ સાધક છે, અખંડ સુખ સાધ્ય છે. નય સાધક છે, અનેકાંત સાધ્ય છે. પ્રમાણ સાધક છે, વસ્તુને પ્રસિદ્ધ કરવી તે સાધ્ય છે. વસ્તુગ્રહણ સાધક છે, સકલકાર્ય-સામર્થ્ય સાધ્ય છે. પરપરિણતિ સાધક છે, ભવદુઃખ સાધ્ય છે. નિજપરિણતિ સાધક છે, સ્વરૂપાનંદ સાધ્ય છે. એવી રીતે સાધકસાધ્યના અનેક ભેદ જાણી નિજ અનુભવ કરો. આ બધું સ્વરૂપઆનંદ પામવાને માટે બતાવ્યું છે. કર્મકલ્પના કલ્પિત છે. આત્મા સહજ અનાદિ સિધ્ધ છે, અનંતસુખરૂપ છે, અનંતગુણ-મહિમાને ધરે છે. વીતરાગ ભાવનાથી શુદ્ધોપયોગને ધારીને સ્વરૂપસમાધિમાં લીન થઈને સ્વસંવેદનજ્ઞાનપરિણતિ વડે પરમાત્મા પ્રગટ કરો.
કોઈ કહેશે કે આજના સમયમાં નિજ સ્વરૂપની પ્રાપ્તિ કઠણ
-----------------------------------
=
=
=
=
=
=
=
=
=
=
==
૧. શુદ્ધાતમ અનુભૌ કિયા, શુદ્ધજ્ઞાન દગ ઔર; મુક્તિપંથ સાધન યહે, વાજાલ સબ ઔર. ૧૨૬.
પં. બનારસીદાસજી કૃત
નાટકસમયસાર. ૨. પાઠાન્તર - “નિજ સ્વરૂપની પ્રાપ્તિ કઠણ છે.’ તેને બદલે “સ્વરૂપ કઠણ છે” એવો પાઠ
છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com