Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 69
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Tી હવે દેવાધિકાર લખીએ છીએ કારણ કે દેવથી પરમ મંગલરૂપ નિજાનુભવ પામીએ છીએ તેથી દેવ ઉપકારી છે. દેવ પરમાત્મા છે. અરહંત પરમાત્મા સાકાર છે. શરીરયુક્ત છે; અને સિદ્ધ નિરાકાર છે, ચરમશરીરથી કિંચિતન્યૂન આકાર છે માટે (તેને) સાકાર પણ કહીએ છીએ. અરહંતને અઘાતિકર્મ રહ્યાં છે તેથી બાહ્ય વિવક્ષામાં ચાર ગુણ વ્યક્ત થયા નથી. જ્ઞાનમાં બધા વ્યક્ત થયા છે. તે કહેવામાં આવે છે-નામકર્મ મનુષ્યગતિરૂપ છે તેથી સૂક્ષ્મ બાહ્ય નથી (બહારમાં વ્યક્ત નથી), (પણ) કેવલજ્ઞાનમાં વ્યક્ત છે. વેદનીયકર્મ છે, તેથી બહાર (બહારમાં) અબાધિત નથી, અંતરમાં-જ્ઞાનમાં વ્યક્ત છે. અવગાહુ બાહ્ય (બહારમાં વ્યક્ત) નથી, (પણ) પોતાના જ્ઞાનમાં વ્યક્ત છે. અગુરુલઘુગોત્રથી બાહ્ય (બહારમાં) વ્યક્ત નથી, (પણ) જ્ઞાનમાં (વ્યક્ત છે. આ અધાતિથી જ વ્યક્ત નામ ન પામ્યાં. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ પૂજ્ય છે, અરહંતનું નામ લેતાં જ પરમપદની પ્રાપ્તિ થાય છે. (યોગસારમાં) કહ્યું છે કે જિન સુમરો જિન ચિંતવો, જિન, ધ્યાવો સુમન, જિન ધામંતહિ પરમપદ, લહિયે એક ક્ષણે ન ૧ જિનસ્થાપનાથી સાલબધ્યાન વડે નિરાલંબપદ પામે છે. કેવી છે સ્થાપના? કહ્યું છે કે :किं ब्रह्मैकमयी किमुत्सवमयी श्रेयोमयी किं किमु। ज्ञानानंदमयी किमुन्नतमयी किं सर्वशोभामयी; इत्थं किं किमिति प्रकल्पनपरैस्त्वन्मूर्तिरुद्वीश्यता [ ताम]। किं सर्वातिगमेव दर्शयति सा ध्यानप्रसादन्महः।।१।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96