________________
૬૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ અહીં કોઈ તર્ક કરે કે–જ્ઞાનમાં સર્વ જ્ઞેય ઉપચારથી છે, તો સર્વજ્ઞપદ ઉપચિરત થયું, ઉપચાર જૂઠો છે તો શું સર્વજ્ઞપદ જૂઠું થયું ?
તેનું સમાધાન :- જેને ઉપચારમાત્રમાં જ લોકાલોક ભાસ્યો, તો તેના નિશ્ચયજ્ઞાનનો મહિમા કોણ કહે? આ જ્ઞાન, સ્વસંવેદન જ થયું થકું, સર્વને જાણે છે. પોતાને જાણતાં પરનું જાણવું સ્થપાય છે, પ૨ને જાણતાં સ્વનું જાણવું સ્થપાય છે. ૫૨ની અપેક્ષાએ સ્વ છે, સ્વની અપેક્ષાએ ૫૨ છે. વિવક્ષાથી વસ્તુસિદ્ધિ છે ( અને ) જ્ઞાનથી સ્વરૂપાનુભવ છે.
આ જ્ઞાનાધિકાર છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com