________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
।। હવે શેયાધિકાર લખીએ છીએ ।।
66
""
'ज्ञातुं योग्यं ज्ञेयं જાણવા યોગ્ય પદાર્થને જ્ઞેય કહવામાં આવે છે. તે પદાર્થની ત્રણ અવસ્થા છે. દ્રવ્ય-અવસ્થા, ગુણઅવસ્થા અને પર્યાય-અવસ્થા, (તેમાં ) દ્રવ્ય-અવસ્થા મુખ્ય છે. શાથી ? કે પદાર્થ દ્રવ્ય-અવસ્થા ન ધરે તો દ્રવ્યવિના ગુણપર્યાયનું વ્યાપવું ન થાય, તો દ્રવ્ય (પણ) ન હોય, તો પદાર્થ (પણ) ન હોય માટે દ્રવ્ય-અવસ્થા મુખ્ય છે. પછી ગુણ-અવસ્થા છે. શાથી ? કે ગુણ વિના દ્રવ્ય ન હોય તેથી મુળસમુવાયો દ્રવ્ય', એવું જિનવચન છે. પર્યાય-અવસ્થા ન હોય તો વસ્તુને પરિણમાવે કોણ ? ઉત્પાદવ્યયધ્રૌવ્ય (પણ) ન સધાય, પદ્ગુણીવૃદ્ધિહાનિ ન થાય, ત્યારે તો અર્થપર્યાયનો અભાવ થતાં વસ્તુનો અભાવ થાય તેથી પર્યાયઅવસ્થાથી સર્વસિદ્ધિ છે.
દ્રવ્ય ગુણ-પર્યાયમાં વ્યાપે છે, ગુણ દ્રવ્ય-પર્યાયમાં વ્યાપે છે તથા પર્યાય ગુણદ્રવ્યમાં વ્યાપે છે, ત્રણે અવસ્થા પદાર્થની છે, પદાર્થ સત્ત્વ (–સ્વ) અવસ્થાથી અસ્તિ છે, ૫રચતુષ્ટય-અવસ્થાથી નાસ્તિ છે; ગુણ-અવસ્થાથી અનેક છે, વસ્તુ-અવસ્થાથી એક છે; ગુણાદિભેદથી ભેદરૂપ છે. અભેદ વસ્તુસ્વરૂપથી અભેદ છે; દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે; શુદ્ઘનિશ્ચયથી શુદ્ધ છે, સામાન્ય વિશેષરૂપ વસ્તુ હોવાથી ) વસ્તુત્વ છે, દ્રવ્યના ભાવને ધરતાં
૧. ગુણસમુદાય તે દ્રવ્ય છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com