Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 68
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ અનુભવ પ્રકાશ અશુદ્ધ નિશ્ચયનયથી છે. દ્રવ્યકર્મનો કર્મનું દ્રવ્યપરાચરણ ઉપચારથી છે. ભાવપરાચરણ, રાગદ્વપમોહ છે તેનું આચરણ છે. કોઈ પ્રશ્ન કરે કે જો રાગાદિક જીવના ભાવ છે, (અને) પરભાવ સ્પર્શ, રસ આદિક છે, (તો) રાગાદિકને (તેઓ જીવના ભાવ હોવા છતાં) પરભાવ કેમ કહ્યાં ? તેનું સમાધાન-શુદ્ધનિશ્ચયથી રાગાદિ જીવના નથી, એ પણ પર છે, શાથી? કે એ ભાવકર્મ છે, એમના નાશથી મોક્ષ થાય છે, પર છે તો છૂટે છે, તેથી (તેમને ) પર જ કહીએ. જ્યારે આ (જીવ) રાગાદિકને પોતાના નહીં માને ત્યારે ભવબંધપદ્ધતિ મટશે. તેથી પર એવા રાગાદિને છોડી શુદ્ધદર્શનજ્ઞાનચારિત્ર છે તેને સ્વ (પોતારૂપ) જાણી ગ્રહો, આ મોક્ષનું મૂલ છે. પરિણામ જે તરફ ઢળે તેવા થાય છે. માટે પર તરફથી છોડી (ખસેડી) નિજ પરિણામ સ્વરૂપમાં લગાડો. ઉત્પાદવ્યધ્રૌવ્ય પગુણીવૃદ્ધિવનિરૂપ અર્થક્રિયાકારક પરિણામથી સધાય છે. ૧. સદ્ગુરુ કહે ભવ્ય જીવનિસૌં, તોરહુ તુરિત મોહકી જેલ સમકિતરૂપ ગહૌ આપનોં ગુન, કરહું શુદ્ધ અનુભવક ખેલ. પુદ્રાલપિંડ ભાવરાગાદિક, ઈનસૌ નહીં તુમ્હારી મેલ; એ જડ પ્રગટ ગુપ્ત તુમ ચેતન, જૈસે ભિન્ન તોય અસ તેલ નાટક સમયસાર ૧૨. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96