________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર
અનુભવ પ્રકાશ ઉપાલંભ દે છે. પોતાથી હરામજાદગીને (દુષ્ટતાને) દેખતો નથી. અચેતનને નચાવતો ફરે છે, તો લાજ આવતી નથી. મડદાની સાથે સગાઈ કરી, હવે અમે એની સાથે લગ્ન કરી સંબંધ કરીશું તો એવી વાત લોકમાં પણ નિંધ છે.
તમે તો અનંતજ્ઞાનના ધારક ચિદાનંદ છો. જડમાં પોતાને માનવાની અનાદિની જૂઠી વિટંબણા મટાડો. તમે તેને કેવલ પર માની છોડો, પરાચરણથી જ તમારા દર્શનશાનમાં લાભ થયો નથી. (વળી) જો દેખવા-જાણવાથી બંધ થાય તો સિદ્ધ લોકાલોકને દેખે છે, જાણે છે, તે પણ બંધાય, (પણ) તેની સાથે (લોકાલોકની સાથે) (સિદ્ધના) પરિણામ તાદામ્ય નથી. તેથી સિદ્ધ ભગવાન બંધાતા નથી. પરિણામથી જ સંસાર, પરિણામથી જ મોક્ષ માન, પરિણામ જ રાગદ્વેષમોહના પરિણામ કરે છે. તેનું જતન પણ પરિણામ કરે છે, જ્ઞાનદર્શનમાં રાગદ્વેષ નથી, તેઓ (તો) દેખવાજાણવામાત્ર છે. તેની (પરિણામની) વિકારતાથી તેઓ પણ (દર્શનજ્ઞાન પણ) વિકારી કહેવાય છે. જો દેખવું-જાણવું રાગદ્વેષમોહથી થાય તો બંધાય, રાગદ્વેષમોટું ન હોય તો ન બંધાય. આ પરિણામની શુદ્ધતા અભવ્યને થાય નહિ, તેથી (તેને) જ્ઞાનદર્શન શુદ્ધ ન થાય, ભવ્યને સ્વરૂપાચરણના પરિણામ થાય છે તેથી (તેને) જ્ઞાનદર્શન શુદ્ધ થાય. પદ્મનંદિ પચ્ચીસીમાં કહ્યું છે કે –
स्वानुष्ठानविशुद्ध द्दग्बोधे 'जायते कुतो जन्म।
उदिते गमस्तिमालिनि किं न विनश्यति तमो नैश्यम् ।।
અહીં કોઈ પ્રશ્ન કરે કે- વસ્તુ દેખાતી નથી, જણાતી નથી (તો) તેમાં પરિણામ કેવી રીતે દઈએ ? (કવી રીતે લગાડીએ ?) તેનું સમાધાન પરને દેખે - જાણે છે તે પરને દેખનાર ઉપયોગ છે તો
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
૧. પાઠાન્તર- ‘ઝૂમતે'
૨. આ પધનો ભાવાનુવાદ આ પ્રમાણે છે કે:- જેવી રીતે સૂર્યોદય થતાં અંધકારનો નાશ થાય છે. તેવી રીતે સમ્યક ચારિત્રથી દર્શનજ્ઞાન વિશુદ્ધ થતાં ફરી સંસારમાં જન્મ થતો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com