________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૧
અનુભવ પ્રકાશ ભાવ નથી. શાથી? કે વાદળાંની ઘટા લાલ, શ્યામ, પીત્ત, હરિતરૂપ થતાં આકાશ તેવું ન થયું. જેમ રત્ન ઉપર માટી ઘણી લપેટી છતાં રત્નનો પ્રકાશ માટીને લપેટવા છતાં ન ગયો, અંતરશક્તિ જેવી ને તેવી છે, તેમ આત્માને અશુદ્ધ ભાવ થતાં આત્માની દર્શનજ્ઞાનશક્તિ અભ્યત્તરમાં જેવી ને તેવી છે. પરપુદ્રાલનું નાટક (ઘણું ) બન્યું છે, તેને પુદ્ગલનો ખેલ જાણ, તું (તેને) તારા આત્માનો ખેલ ન જાણ.
તે કહેવામાં આવે છે. દશપ્રકારનો પરિગ્રહ-ક્ષેત્ર, બાગ, નગર, કૂપ, વાપી, તડાગ (તળાવ), નદી આદિ બધુંય પુદ્રાલ, માતા, પિતા, કલત્ર, પુત્ર, પુત્રી, વધુ, બંધુ, સ્વજન આદિ બધાય (કુટુંબીજનો ), સર્પ, સિંહ, વ્યાધિ, ગજ, મહિષ આદિ બધાય દુષ્ટો, અક્ષર, અનક્ષર, શબ્દાદિ ગાવું, બજાવવું, સ્નાન, ભોગ, સંયોગવિયોગની બધી ક્રિયા, પરિગ્રહનો મેલાપ તે મોટો, પરિગ્રહનાશ તે દરિદ્ર વગેરે બધી ક્યિા, ચાલવું, બેસવું, હલવું, બોલવું, કંપવું, વગેરે બધી ક્રિયા, - લડવું, બાથ ભીડવી, ચઢવું ઊતરવું, કૂદવું, નાચવું, ખેલવું, ગાવું, બજાવવું વગેરે બધી ક્રિયા-એ સર્વ પુદ્રાલનો ખેલ જાણ.
નર, નારક, તિર્યંચ, દેવ, તેમના વૈભવ, ભોગકરણ, વિષયરૂપ ઇન્દ્રિયોની ક્રિયા આદિ સર્વ પુદ્રાલનું નાટક છે. દ્રવ્યકર્મ, નોકર્મ આદિ સર્વ પુદ્રાલનો અખાડો છે. તેમાંનું ચિદાનંદ રંજિત થઈ પોતાના જાણે છે. પોતાનાં દર્શનજ્ઞાનચારિત્રાદિ અનંતગુણના અખાડામાં પરિણતિપાત્રો નાચે છે, સ્વરૂપરસ ઉપજાવે છે. જેટલા ગુણ છે તેટલાને વેદે છે. દ્રવ્યને વેદે છે. સર્વ ભાવો- (સ્વરૂપ) સત્તા મુદંગ છે, પ્રમેય તાલ છે. ઇત્યાદિ બધુ નિજ અખાડો છે. એવી રીતે પોતાના નિજ અખાડામાં રંજિત ન થતાં પરના અખાડામાં (તે) મમત્વ કર્યું, જેના ફળમાં જન્માદિ દુઃખફળ (તું ) પોતે પામ્યો.
હવે પોતાનો સહજ સ્વાદી થઈ પરપ્રેમ મટાડી ચેતનાપ્રકાશના વિલાસરૂપ અતીન્દ્રિય ભોગ ભોગવ, શું? જૂઠા જ સૂના જડમાં પોતાને માને છે? તથા પરને કહે છે કે- (આ) અમને દુઃખ દે છે, (પણ) એમાં દુઃખ દેવાની શક્તિ નથી. બીજાની ઉપર જૂઠો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com