________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
४७ તો પણ એક “ સ્વાદરૂપ અનુભવદશા” એવું મુખ્ય નામ જાણવું. જે સમ્યગ્દષ્ટિ ચોથા (ગુણસ્થાન) નો છે તેમને તો સ્વાનુભવનો કાલ લઘુ અન્તર્મુહુર્ત સુધી રહે છે. (ફરી) (તેને) તે (સ્વાનુભવ) ઘણા કાલ પછી થાય છે. તેનાથી (અવિરત સમ્યગ્દષ્ટિના કાલથી) દેશવ્રતીનો સ્વાનુભવ રહેવાનો કાલ વધુ છે, અને તે સ્વાનુભવ થોડા જ કાલ પછી થાય છે. સર્વવિરતિનો સ્વાનુભવ દીર્ધ અન્તર્મુહૂર્ત સુધી રહે છે. ધ્યાનથી પણ થાય છે તથા ઘણા થોડા થોડા કાલ પછી સ્વાનુભવ સાતમાં ગુણસ્થાનમાં વારંવાર થયા જ કરે છે. તે જ પરિણામ કે જે પૂર્વે સ્વાનુભવરૂપ થયા હતા તે તો સ્વાનુભવરૂપ રહ્યા પણ ત્યાંથી (તે પરિણામ) મુખ્યરૂપે કર્મધારાથી નીકળી નીકળી, સ્વરસસ્વાદ રૂપ-અનુભવરૂપ થઈ થઈને વધતા ચાલે છે. જેમ જેમ પછીનો કાલ આવે છે તેમ તેમ પછી પછીના પરિણામ સ્વસ્વાદરસરૂપ-અનુભવરૂપ થઈ થઈ વધતા ચાલે છે. એ પ્રમાણે ત્યાંથી અનુભવદશાના પરિણામ વધી વધીને પલટતા જાય છે. તે ક્ષીણ મોહ ગુણસ્થાનના અંત સુધી જાણવું.
હે ભવ્ય ! તું એક વાત સાંભળ-અમે એકવાર વળી ફરી કહીએ છીએ. આ સ્વાનુભવદશા સ્વસમયરૂપે સુખ છે, શાંતિ-વિશ્રામ છે, સ્થિરરૂપ છે, નિજકલ્યાણ છે, ચેન છે, તૃપ્તિરૂપ છે. સમભાવ છે, મુખ્ય મોક્ષરાહુ છે, એવી છે. વળી આ સમ્યક સવિકલ્પદશા-જો કે અહીં ઉપયોગ નિર્મલ છે તો પણ અહીં ચારિત્રપરિણામ પરાલંબી, અશુદ્ધ, ચંચલ હોવાથી સવિકલ્પદશા-દુ:ખ છે, તૃષ્ણાએ કરી ચંચલ છે, પુણ્યપાપરૂપ કલાપ (સમૂહ) છે, ઉદ્ધગતા છે, અસંતોષરૂપ છે, એવા એવા | વિલાપરૂપ છે. બંનેયથી (સવિકલ્પ, નિર્વિકલ્પ દશા બંનેયથી) ચારિત્રપરિણામની
અવસ્થા પોતામાં દીઠી છે. તેથી ભલું આ છે કે તું સ્વાનુભવરૂપ રહેવાનો ઉદ્યમ રાખ્યા કર, આ અમારું વચન વ્યવહારથી ઉપદેશકથન છે. ગુણસ્થાન પ્રમાણે જેટલી જેટલી વિશુદ્ધતા, સ્થિરતા વધી તેટલું તેટલું સુખ વધ્યું. બારમાં ગુણસ્થાન સુધી કષાય ઘટવાથી સ્થિરતા વધી (અને) મતિજ્ઞાના
૧. સાતમાં ગુણસ્થાનમાં સ્વાનુભવદશા વારંવાર થયા જ કરે છે. ૨. પાઠાન્તર- સ્વરસમયરૂપ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com