________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અથ અનુભવવર્ણનમ્
પૌદ્રાલિક કર્મથી જ પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠી મનરૂપ સંજ્ઞી દેહ બન્યો છે, તે દેહમાં તેના પ્રમાણમાં રહેલું જીવદ્રવ્ય પણ ઇન્દ્રિય અને મનસંજ્ઞાનું નામ પામે છે. ભાવ-ઈન્દ્રિય, ભાવમન એવા છ પ્રકારે ઉપયોગપરિણામના પણ ભેદ પડ્યા છે. એક-એક ઉપયોગપરિણામ એકને જ દેખે, જાણે. મનનો ઉપયોગપરિણામ ચિંતા-વિકલ્પને દેખે, જાણે. પરિણામવિચાર વિકલ્પ-ચિંતારૂપ માનવું હોય છે. તેમ થતાં તે પરિણામભેદને “મન” નામ કહ્યું, દેખો, સંત ! બીજું, હવે આને એક જ્ઞાનનું નામ લઈ કથન કરું છું. તે જ્ઞાનના કથનથી દર્શનાદિ સર્વગુણ આવી ગયા. આ મન-ઇન્દ્રિયભેદોના જ્ઞાનના પર્યાયનું નામ મતિસંજ્ઞા છે, મન ભેદજ્ઞાનથી (વિશેષજ્ઞાનથી) અર્થથી અર્થાન્તર વિશેષને જાણે છે, આ જાણવાને
શ્રુત' સંજ્ઞા કહીએ, એ બંને જ્ઞાનપર્યાય (બે પ્રકારે) કુરૂપ ( વિપરીતરૂપ) (અને) સમ્યકરૂપ છે.
મિથ્યાત્વીનું મતિધ્રુતરૂપ જાણવું છે, તે જાણવામાં સ્વ-પર વ્યાપક અવ્યાપકની જાતિ નથી. તે શેયને પોતારૂપ જાણે અથવા જાણે પણ નહીં. મિથ્યાત્વીના જાણવામાં કુરૂપતા-વિપરીતતા છે. સમ્યગ્દષ્ટિ પરને પર જાણે છે, સ્વ ને સ્વ જાણે છે. મિથ્યાત્વી, ચારિત્રમાં પરને નિજરૂપ અવલંબે છે, (ત્યારે) સમ્યગ્દષ્ટિ નિજને નિજરૂપ અવલંબે છે. સમ્યકતા (સમ્યકત્વ) સવિકલ્પ-નિર્વિકલ્પરૂપથી બે પ્રકારે છે. જઘન્યજ્ઞાની તે પરયને અવ્યાપક પરરૂપપણે જાણી
૧. આનું વિસ્તૃત વિવેચન આત્મવલોકનના “અનુભવવિવરણ” ના પ્રકરણમાં દેખવું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com