Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 58
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४ અનુભવ પ્રકાશ ગતિ ગતિમાં પડી નિજ પરિણતિરાણીના વિયોગથી ઘણો દુ:ખી થયો. હવે નિજ પરિણતિની સાથે અતીન્દ્રિય ભોગ ભોગવો, જ્યાં સહજ અવિનાશી રસ વરસે છે. (પાનની) 'પિચકારીમાં પધરાગમણિ કલ્પી જઠો જ આનંદ માનો છો, એ પ્રમાણે પરમાં નિજભાવ 'કલ્પો છો તે જાઠી જ હોંશ પૂરી કરવા જાઓ છો, પણ તે પૂરી નહીં થાય. આકાશમાં એક દેવ છે. તેના હાથમાં ચિંતામણિ છે, તેના પ્રતિબિંબને પોતાના વાસણના જળમાં જોઈ (પોતે) મનમાં વિચારે કે મારી પાસે ચિંતામણિ છે.” તેના ભરોસે પારકાનું લાખોનું દેવું કર્યું તેથી શું સિદ્ધિ છે? જદૂઠી કલ્પના તમને જ દુઃખદાયક છે. સાચો ચિંતામણિ પોતાના ઘરમાં, તેને તો દીઠો નહિ ને (આ તરફ) પ્રતિબિંબમાંથી કાંઈ (ચિંતામણિ ) હાથ નહિ આવે. ઘણો ખેદ કરો છો તેથી શું બડાઈ? હવે પોતાનું સાચું અખંડ પદ દેખો. બ્રહ્મ સરોવર આનંદ સુધારસથી પૂર્ણ છે, જેનો સુધારસ પીતાં અમર થવાય તે રસ પીઓ. ૧. કફનો રોગી પાન ખાઈને થેંક્યો હોય તેને દેખી ચંદ્રના પ્રકાશમાં કોઈને એમ ભ્રમ થાય કે આ લાલમણિ છે. ૨. જ્ઞાન ઉપયોગયોગ જાકૌ ન વિયોગ હુવૌ, નિહર્મ નિહાર એક તિર્દૂ લોક ભૂપ હૈ; ચેતન અનંતરૂપ સાસત વિરાજમાન, ગતિ ગતિ ભ્રમ્યો તો અમલ અનૂપ હૈ. જૈસે મણિ માંહિ કોઊ કાંચ ખંડ માને તો, મહિમા ન જાય વામેં વાહીકો સરૂપ હૈ; એસે હી સંભારીકે સરૂવકો વિચાયી મેં, અનાદિકો અખંડ મેરો ચિદાનંદ રૂપ હૈ. –૩૦ -જ્ઞાન દર્પણ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96