________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ છે, (કારણ કે) પરિગ્રહવંત તો બહિરાત્મા છે, તેથી (એમ કહેવાથી તેણે) સ્વરૂપ પામવાની ચાહ મટાડી. (પાઠાન્તર:- તેમ કહેનાર સ્વરૂપ પામવાની ચાહ મટાડનાર બહિરાત્મા છે.) પરંતુ આજથી અધિક પરિગ્રહું, ચોથા કાલના મહાપુણ્યવંત નર ચક્રવર્તી આદિ તેમને, હતો. તો આને તો થોડો છે, તે પરિગ્રહ જોરાવરીથી (બળજરીથી) એના પરિણામોમાં આવતો નથી. એ પોતે જ દોડા દોડી પરિગ્રહમાં ખેંચે છે. જ્યારે નવરો હોય ત્યારે વિકથા કરે છે. ત્યારે સ્વરૂપના પરિણામ કરે તો કોણ રોકે છે? પર પરિણામ સુગમ, નિજ પરિણામ વિષમ બતાવે છે. દેખો! અચરજની વાત છે કે દેખે છે, જાણે છે છતાં દેખ્યો ન જાય, જાણ્યો ન જાય, એમ કહેતાં લાજ પણ આવતી નથી ! સંસારચાતુરીમાં ચતુર, પોતાને જાણવામાં શઠ એવો હઠ-ધટતાથી પકડી, પકડીને પર-રતવ્યસનમાં ગાઢ બન્યો. સ્વભાવબુદ્ધિને વિસરીને, ભારે ભવ બાંધીને (આંધળો
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧. બાહ્ય પરિગ્રહ ભલે થોડો કે ઝાઝો ગમે તેટલો કેમ ન હોય, પરંતુ તેમાં વિશેષતા મમત્વ, મૂછ, વૃદ્ધતા કે અતિ-આસક્તિની છે. જે જેટલો મમત્વપરિણામવાળો હશે તેટલો જ અધિક પરિગ્રહી છે, પરંતુ (ચારિત્ર અપેક્ષાએ ભેદજ્ઞાની) જેટલો મમત્વ ઓછો કરશે તેટલો અપરિગ્રહી છે. ભરત ચક્રવર્તી છ ખંડની વિભૂતિના ધારક હતા પરંતુ તેઓ તેના સ્વામી નહોતા, તેઓ તેને કર્મોદયનો વિપાક સમજતા હતા, એ કારણે તેઓ તે પરિગ્રહમાં રહેવા છતાં પણ નામમાત્રના પરિગ્રહી હતા. પરંતુ જે બહારમાં દરિદ્રી છે પણ અંતરંગમાં અત્યંત મૂછથી યુક્ત છે તે બાહ્ય સમાગ્રીના સંચય વિના પણ બહુ પરિગ્રહી છે.
વળી બાહ્ય પરિગ્રહ ગમે તેટલો કેમ ન રહે, જ્ઞાની જીવ તેને પોતાનો નથી માનતા. તેથી તે બલજોરીથી કે જબર્દસ્તીથી કોઈનું કાંઈ બગાડી શકતા નથી. પરંતુ જ્યારે પોતાના જ પરિણામ બગાડ ત્યારે જ બાહ્ય વસ્તુને નિમિત્તકારણ કહેવામાં આવે છે. તેથી કેવળ બાહ્ય વસ્તુને દોષ દેવો ઉચિત નથી. પોતાની સરાગ પરિણતિ જ ઘાતક છે અને બંધ કરે છે. પં. બનારસીદાસે યોગ્ય કહ્યું છે કે
જ્ઞાની જ્ઞાનમગન રહે, રાગાદિક મલ ખોય; ચિત્ત ઉદાસ કરણી કરે, કરમ બંધ નહિ હોય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com