________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
અનુભવ પ્રકાશ (છતાં) વિષમ માની રહ્યો છે. મોહમદને રોકી જ્ઞાનઅમૃતનું પાન કરી બ્રહ્મપદને સંભારી, ભવખેદને ટાળી, નિજથી ભેદને પામી, અભેદ નિજપદને ઓળખી, પર એવી વાણીને ત્યાગી, ચિદાનંદને જાણી, મોહમાન્યતાનો નાશ કરીને, ગુણગ્રામસુખધામરૂપ, અભિરામરૂપ તે જ (મારું) સ્વરૂપ છે. તે જ ભાવ મોક્ષને, ઉપાયઉપયને સાધે (છે ). શુદ્ધ આત્માને આરાધે (છે). આ રીતે જ નિગ્રંથ પુરુષો શિવપથને બહુ સાધી સાધી, સમાધિને પામી, પરમપદને પહોંચે (છે.) પોતાનો ચેતન પ્રકાશ મોહવિકારને પામી મલિન થયો છે, ભેદજ્ઞાન જડચેતનને ભિન્ન કરે. તેને અંતરમાં ધરી ધરી, નિજજ્ઞાનનો અભ્યાસ વારંવાર કરી, સાર અવિકાર પોતાનું અખંડરૂપ જાણી, (તેને) અંતરમાં અનુભવમાં લાવી મહામોહ હઠનો નાશ કરી, જે સ્વરૂપ રસ પોતાના સ્વભાવમાં છે તે સ્વભાવને નિજ ઉપયોગમાં યોગ્ય સ્થાનરૂપ કરે, (યથાસ્થાનરૂપ કરે સ્થિર કરે). સ્વરૂપની ઉપયોગશક્તિ કર્મમાં ગુમ થઈ તો શું (તે) શક્તિનો અભાવ માનીએ?
જેમકે કોઈનો પુત્ર ઘરમાં છે. બજારમાં કોઈએ પૂછ્યું, કે “તમારે પુત્ર છે ?' ત્યારે કહે કે, “મારે પુત્ર છે.” (બજારમાં સાથે ન હોવા છતાં ) અભાવ કહેતો નથી. વ્યવહારમાં પણ એ રીત છે કે છતાને અણછતો ન કરે. (પણ હું) ચિદાનંદ! તારું તો આશ્ચર્ય આવે છે કે દર્શનજ્ઞાનશક્તિ છતી હોવા છતાં તેને (તે) અણછતી કરી રાખી છે. જેવી રીતે લોટનજડીને (બિલાડીના ટોપને) દેખી બિલાડી લોટવા લાગી જાય છે તેવી રીતે મોહથી સંસાર ભ્રમણ છે. ત્યાંથી યથાર્થ રીતે (ભલી રીતે, સમ્યક રીતે) સ્વરૂપમાં આવે તો ત્રિલોકનું રાજ્ય પામે. તે તો દુર્લભ નથી. જેવી રીતે પુરુષ પશુનો સ્વાંગ ધરે તો (કાંઈ ) પશુ ન થાય (પણ) પુરુષ જ રહે તેવી રીતે આત્મા ચોરાશીના સ્વાંગ ધરે તો પણ તે ચિદાનંદ જ છે. 'ચિદાનંદપણું દુર્લભ નથી. જેવી રીતે કોઈ કાષ્ટની પુતળીને સાચી
૧. જૈસે નર કોઉ વેષ પશુ કે અનેક ધરે, પશુ નહીં હોય રહે યથાવત નર હે. તેમેં જીવ ચાર ગતિ સ્વાંગ ધરે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com