Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 45
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુભવ પ્રકાશ ૩૧ તમે રાજા, દર્શનશાન વજીર-રાજ્યના સ્થંભ, ગુણ એ વસ્તી, અનંત શક્તિરૂપ રાજધાનીનો વિલાસ કરો. અભેદ રાજ્ય રાજવું તે તમારું પદ છે. અપાવન અસ્થિર એવા અચેતન (દેહ) સાથે શા માટે સ્નેહ કરો છો? બરાબર નિહાળો! આ શરીર મંદિરમાં આ ચેતન દીપક શાશ્વતો છે. મંદિર (શરીર) તો છૂટે છે, પણ શાશ્વત રત્ન દીપક જેવો ને તેવો રહે છે. વ્યવહારમાં તમે અનેક સ્વાંગ નટની જેમ ધરો છો, નટ તો જેવો ને તેવો રહે છે. તેવી રીતે બધ્ધ વા સ્પષ્ટ ભાવ, કર્મનો છે. તો પણ (જીવદ્રવ્ય) કમલપત્રની માફક કર્મથી ન બંધાય, ન સ્પર્શાય. જેવી રીતે માટી અન્ય અન્ય ભાવ ( આકાર ) ધરવા છતાં એક છે, તેવી રીતે (જીવદ્રવ્ય) અન્ય અન્ય પર્યાય ધરવા છતાં એક છે. જેમ સમુદ્ર તરંગો વડે વૃધ્ધિહાનિ કરે છે, તો પણ સમુદ્રપણાથી નિશ્ચલ છે, તેવી રીતે (જીવદ્રવ્ય ) વિભાવ વડે વૃધ્ધિ-હાનિ કરે છે, (પણ) વસ્તુ નિજ અચલ છે. જેવી રીતે સુવર્ણ વાન ભેદ હોવા છતાં અભેદ છે, તેવી રીતે કર્મથી અનેક ભેદ હોવા છતાં વસ્તુ (ચૈતન્ય) અભેદ છે. (જેમ) સ્ફટિકમણિ પુરી (રંગીન વસ્તુ) થી લીલો, લાલ ભાસે છે, (છતાં પણ) સ્વભાવ તો શ્વેત છે. પર તે પર છે, નિજ ચેતનામાં પર નથી. પડભાવ ઉપર ઉપર જ રહે છે. જળ ઉપર સેવાળની માફક. ચિદાનંદ! તારી ગુપ્તશુદ્ધશક્તિને વ્યક્તપણે ભાવ, જેથી તે વ્યક્ત થાય. તું અવિનાશી રસનો સાગર, પર રસ કેમ મીઠો દેખ્યો, કે જેના નિમિત્તથી સંસારની ઘૂમરીઓ ૧. સિંઘમેં તરંગ જૈસે ઉપજૈ વિલાય જાય નાનાવત વૃધ્ધિાનિ જામેં યહ પાઈએ. અપને સ્વભાવ સદા સાગર સુથિર રહું તાકો વ્યય ઉત્પાદ કૈસે ઠહરાઈએ. તૈસે પરજાય માંહિ હોય ઉત્પાદ વ્યય ચિદાનંદ અચલ અખંડ સુધા પાઈએ, પરમ પદારથમેં સ્વારથ સ્વરૂપહી કૌ અવિનાશી દેવ આપ જ્ઞાન જ્યોતિ ધ્વાઈએ. જ્ઞાનદર્પણ ૧૮૮. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96