________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬
અનુભવ પ્રકાશ આ સાધ્યસાધકભાવને જાણતાં સહજ જ સાધ્ય સધાય છે. એમનું વિશેષ વર્ણન કરીએ છીએ. હું મનુષ્ય, હું દેવ, હું નારક, હું તિર્યંચ, આ શરીર મારું છે, એ પ્રમાણે) પરમાં નિજભાવ, પરને પોતારૂપ માનવું, સ્વરૂપથી બાહ્ય પરપદાર્થોમાં પરિણામ તન્મય કરવા, રાગભાવથી રંજકતા કરી પરના સ્વરૂપને પોતારૂપ પ્રતીતિ કરી જાણવું, એક મિથ્યાત્વ, મિથ્યાત્વના બીજા ભેદને (અંગૃહીત મિથ્યાત્વને) સાધે છે. એવા મિથ્યાત્વને (કઈ રીતે) સાધે છે; તે કહેવામાં આવે છે.
અતત્ત્વશ્રધ્ધાન તે મિથ્યાદર્શન, અયથાર્થ જ્ઞાન તે મિથ્યાજ્ઞાન, અયથાર્થ આચરણ તે મિથ્યા-આચરણ. તારણબુદ્ધિથી સુધાદિ અઢાર 'દોષ સહિત દેવની ભક્તિ કરવાથી મિથ્યાત્વ થાય છે. શાથી? કે (તે) પરાજુભવી છે-મિથ્યાત્વલીન છે, તેમને સેવતાં મિથ્યાત્વ થાય છે; એવા દોષ સહિત ગ્રંથલીન (પરિગ્રહલીન), વિષયારૂઢ, પરબુદ્ધિધારકને ગુરુ માનતાં મિથ્યાત્વ (થાય છે); મિથ્યાશાસ્ત્ર મિથ્યામત, મિથ્યાધર્મ તેમને માનતાં મિથ્યાત્વ (થાય છે, ) તે મિથ્યાત્વ બહિરાત્માનું સાધક છે, આ મિથ્યાત્વ સેવનથી અનાદિનો (જીવ) બહિરામા થયો છે, તેથી બહિરાત્મા સાધ્ય છે. બીજો, સમ્યક ભાવ સાધક છે. તે વસ્તુનો જે સ્વભાવ અનંતગુણ તેની સિદ્ધિ કરે છે, શાથી? કે સર્વ ગુણો યથાવિધિસ્વરૂપ સમ્યક પોતાના સ્વરૂપને ધરે તે સમ્યભાવસતિ હોય. જ્ઞાનનું નિર્વિકલ્પ જાણપણું સર્વ આવરણરહિત, કેવલજ્ઞાનરૂપ, સમ્યગવસ્થારૂપ, તે સમ્યજ્ઞાન કહીંએ, એ પ્રમાણે આવરણરહિત, શુદ્ધ સમ્યગ્રુપ યથાવત નિશ્ચયભાવરૂપ નિર્વિકલ્પ સર્વ ગુણો સમ્યક કહીએ.
દ્રવ્ય પોતાનું જેવું દ્રવ્યત્વસ્વરૂપ શુદ્ધસ્વરૂપ છે તે સહિત પર્યાય (પોતાનો) જેવો કાંઈ પરિણમનરૂપ સ્વભાવ છે. તે તે સહિત
-
-
-
-
-
-
-
-
-
-
-
૧. જન્મ જરા તિરખા સુધા, વિસ્મય આરત ખેદ; રોગ શોક મદ મોહ, ભય નિંદ્રા ચિંતા સ્વદ. રાગ-દ્વેષ અરુ મરણ જાત, યે અષ્ટાદશ દોષ; નાહિં હોત અરહંતકે, સો છબિ લાયક મોખ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com