________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫.
અનુભવ પ્રકાશ બહિરાત્મા સાધ્ય છે. સખ્યભાવ સાધક છે, ત્યાં વસ્તુસ્વભાવજાતિ સિદ્ધ થવી તે સાધ્ય છે. જ્યાં શુદ્ધોપયોગ પરિણતિ થવી સાધક છે. ત્યાં પરમાત્મા સાધ્ય છે. વ્યવહારરત્નત્રય સાધક છે, ત્યાં નિશ્ચયરત્નત્રય સાધ્ય છે. જ્યાં સમ્યગદષ્ટિને વિરતિવ્યવહારપરિણતિ થવી સાધક છે ત્યાં ચારિત્રશક્તિ મુખ્ય થવી સાધ્ય છે. જ્યાં દેવ-શાસ્ત્રગુરુની ભક્તિ, વિનય, નમસ્કારાદિ ભાવ સાધક છે ત્યાં વિષયકષાયાદિ ભાવોથી ઉદાસીનતારૂપ મનપરિણતિની સ્થિરતા-સાધ્ય છે. જ્યાં એક શુભોપયોગરૂપ વ્યવહારપરિણતિ થવી સાધક છે ત્યાં પરંપરા મોક્ષ સાધ્ય છે.
જ્યાં અંતરાત્મારૂપ જીવદ્રવ્ય સાધક છે ત્યાં પરમાત્મારૂપ અભેદ જીવદ્રવ્ય પોતે જ સાધ્ય છે. જ્યાં જ્ઞાનાદિગુણ મોક્ષમાર્ગરૂપે સાધક છે ત્યાં અભેદ જ્ઞાનાદિગુણ પોતે જ મોક્ષરૂપે સાધ્ય છે. જ્યાં જઘન્યજ્ઞાનાદિભાવ સાધક છે, ત્યાં અભેદ પોતે જ તે જ જ્ઞાનાદિગુણનો ઉત્કૃષ્ટભાવ સાધ્ય છે. જ્યાં જ્ઞાનાદિ અલ્પનિશ્ચયપરિણતિથી સાધક છે ત્યાં અભેદ પોતે જ બહુનિશ્ચયપરિણતિરૂપ જ્ઞાનાદિગુણ સાધ્ય છે. જ્યાં સમ્યકત્વી જીવ સાધક છે ત્યાં તે જીવને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર સાધ્ય છે. જ્યાં ગુણમોક્ષ સાધક છે ત્યાં દ્રવ્યમોક્ષ સાધ્ય છે. જ્યાં ક્ષપકશ્રેણીએ ચઢવું સાધક છે. ત્યાં તદ્દભાવ સાક્ષાત્ મોક્ષ સાધ્ય છે. જ્યાં દ્રવ્યથી, ભાવથી (થયેલો) યતિવ્યવહાર સાધક છે, ત્યાં સાક્ષાત્ મોક્ષ સાધ્ય છે. જ્યાં ભાવમનાદિની રીતિનો વિલય સાધક છે ત્યાં કેવલ સાક્ષાત્ પરમાત્મારૂપ થવું સાધ્ય છે. જ્યાં પૌગલિક કર્મનું ખરવું સાધક છે ત્યાં ચિવિકારનો વિલય થવો સાધ્ય છે.
જ્યાં પરમાણુમાત્ર પરિગ્રહપ્રપંચ સાધક છે ત્યાં મમતાભાવ સાધ્ય છે જ્યાં મિથ્યાષ્ટિ થવું સાધક છે ત્યાં સંસારભ્રમણ થવું સાધ્ય છે. જ્યાં સમ્યગૃષ્ટિ થવું સાધક છે, ત્યાં મોક્ષપદ થવું સાધ્ય છે. જ્યાં કાલલબ્ધિ સાધક છે. ત્યાં દ્રવ્યનો તેવો જ ભાવ થવો સાધ્ય છે. મેં સ્વભાવ સાધન વડે પોતાના સ્વરૂપને સાધ્ય કર્યું છે.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧. પાઠાન્તર:- આ પંક્તિની જગ્યાએ “દ્રવ્યર્લે માવર્ત સાક્ષાત દ્વૈત” એવો પાઠ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com