________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ થઈ તેને ભલી જાણી સેવે છે? જેવી રીતે મધ પીનારો મધ પીતો જાય, દુ:ખ પામતો જાય, વધારે ઘુમરીઓમાં ભલું જાણી જાણી સેવે તેમ તું ભૂલ્યો છે.
જેમ કે:- એક નગરમાં એક પુરુષ રહે છે. નગર સુનું છે, ત્યાં બીજો કોઈ નથી. તે નગરમાં ચોરાશી લાખ ઘર છે, ત્યાં પેલો પુરુષ તે ઘરોને હંમેશા સુધાર્યા જ કરે છે. વળી બીજે દિવસે બીજામાં (અન્ય ઘરમાં) રહે ત્યારે તેને સુધારે. એ પ્રમાણે તે ભીંતડાને સુધારતાં સુધારતાં આખો જન્મારો વીત્યો. તેને સુધારવાનો રોગ થયો. જ્યારથી સુધારતો હતો ત્યારથી રોગ લાગ્યો હતો. તે પોતાની પરમ ચતુરાઈને ભૂલ્યો. તે પુરુષને મોટી વિપત્તિ થઈ પડી કે વગર પ્રયોજને એકલાં સૂનાં ઘરમાં તેની મહેનત મજુરીમાં તે મંડ્યો રહે છે. પોતે અનંત બલવાન છતાં વૃથા ભૂલી દુઃખ પામે છે. આ પુરુષનું શહેર તો એક પરમ વસ્તીવાળું, ત્યાંનો તે રાજા છે. તેને સંભાળે તો સૂનાં ઘરની સેવા તજે, ત્યાંનું રાજ્ય કરે. તેવી રીતે આ ચિદાનંદ ચોરાશી લાખ યોનિના શરીરોની સુધારણા કર્યા કરે છે. જે ઘરમાં રહે, વસે તેને સુધારે, પછી બીજી શરીર ઝુંપડીને સુધારે, પછી બીજી મળે, તેને સુધારતો રહે. બધા દેહુ જડ, તે જડની સેવા કરતાં કરતાં અનાદિકાળ વીત્યો. આ શરીર સેવાનો કર્મરોગ અનાદિનો લાગ્યો આવ્યો છે. તેથી આ રોગ વડે પોતાનું અનંત બલ ક્ષીણપણાને પામ્યું. જન્માદિની મોટી વિપત્તિ ભોગવે છે. જડને એમ માને છે કે (એ) હું જ છું.
જેમ વૃક્ષ પર બેઠેલો એક વાનર (વૃક્ષનું) એક પાન ખરે ત્યાં રડે, તેમ (આ પણ) તેના દેહનું એક અંગ પણ ઓછું થાય ત્યાં બહુ બહુ રીતે રડે “એ મારાં અને હું એમનો' એ પ્રમાણે જૂઠ જ એવા જડને સેવવાથી સુખ માને પોતાની શિવનગરીનું રાજ્ય ભૂલ્યો, જો શ્રી ગુરુના કહેવાથી શિવપુરીને સંભાળે તો ત્યાંનો પોતે ચેતન રાજા અવિનાશી રાજ્ય કરે. “ત્યાં ચેતના વસ્તી છે. ત્રણ લોકમાં આણ ફરે અને ભવનું ભ્રમણ મટે, ફરી જડમાં ન આવે”
૧. પાઠાંતર:- નૈનેં વાનર vs bioો પડે રોવે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com