________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫
અનુભવ પ્રકાશ પાર થયા પોતાના સહજનો (સ્વભાવનો) ખેલ છે. પર પરિચયમાં વિષમ છે. સહજ બોધ કલાવડ સુગમ છે. કષ્ટ કલેશથી દૂર છે. શાથી? કે અફીણ ખાતાં વિષની લહેરી તુરત ચઢે; અમૃતના સેવનથી તુરત તૃપ્તિ થઈ સુખ પામે તેમ કર્મસંકલેશમાં શાંતપદ નથી. અનંત સુખ નિધાનની સ્વરૂપભાવનાને કરતાં જ અવિનાશી રસ ઉપજે તે રસને સંતો સેવતા આવ્યા છે. તેને તું પણ સેવ. શ્રેયપદરૂપ અનુપમ
જ્યોતિસ્વરૂપપદ પોતાનું જ છે, પોતાના પરમેશ્વર પદનું દૂર અવલોકન ન કર; પોતાને જ પ્રભુ થાપ. જેને સારી રીતે યાદ કરવાથી જ્ઞાનજ્યોતિનો ઉદય થાય મોહરૂપી અંધકાર વિલય પામે, આનંદસહિત કૃતકૃત્યતા ચિત્તમાં પ્રગટે, તેને વેગ ( શિધ્ર) અવલોકી અન્ય (પરનું) ધ્યાન રોકી વિચારીને સંભાર (યાદ કર) તારો બ્રહ્મ વિલાસ તારામાં છે, એનાથી (પરમાત્મ પદથી) (બીજાં) અધિક છે કે એને છોડી તું પરને ધ્યાવે છે? ચાર વેદનો ભેદ પામી સ્વરૂપ સુખરૂપ સ્વપદને ગ્રહણ કર. તારી (સ્વરૂપ) ભાવનામાં અવિનાશી રસનો ચૂવો ચૂએ છે, માટે જ ભાવના કરી ભ્રમભાવ મટાડ, તારી ભાવનાએ જુઠા જ ભવ બનાવ્યા છે. એવો બદફેલ, સ્વભાવકલ્લોલનું પ્રગટવું થતાં જ મટે છે.
દેખ! તું ચેતન છે (અને) જડ અજાણ (અચેતન) છે. તે અજાણમાં (અચેતનમાં) તને માની અશુદ્ધ થયો. અજાણ (અચેતન) (કાંઈ ) તારી પાછળ પડ્યું નથી, તું તારા પદથી (છૂટી) એના તરફ ન આવ. જડ કંઈ તારો પલ્લો પકડતું નથી. તું નાહક પારકી વસ્તુને તારી કરી કરી જૂઠી હોંશ કરે છે. મને એ ભોગથી સુખ થયું, હું સુખી છું એવી જૂઠી ભ્રમરૂપ કલ્પના માની ખુશી થાય છે. (તેમાં) કાંઈ પણ સાવધાનીનો અંશ નથી. આ કોઈ આશ્ચર્ય છે કે તું ત્રણ લોકનો નાથ હોવા છતાં પોતાના પૂજ્યપદને ભૂલી, નીચ પદમાં પોતાને માની વિકલ થઈ વ્યાકુલ બની ડોલે છે.
જેમકે કોઈ એક ઇન્દ્રજાલના નગરમાં રહે છે. ત્યાં તે ઇન્દ્રજાલીને વશ થઈ ઇન્દ્રજાલના હાથી, ઘોડા, નર, સેવક, સ્ત્રી, સર્વે તેમાંથી કોઈને તે હુકમ કરે છે (ત્યાં) સેવક આવી (તેને) સલામ કરે છે, સ્ત્રી નૃત્ય કરે છે, (પોતે) હાથી ઉપર ચઢે છે, ઘોડા દોડાવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com